બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / દિલ્હીની કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફટકારી નોટિસ
Last Updated: 11:01 PM, 29 January 2026
Mallikarjun Kharge: દિલ્હીની કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ ફટકારી છે. અરજીની સુનાવણી બાદ કોર્ટે ખડગેને નોટિસ ફટકારી પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યુ કે તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. જેથી જાણી શકાય કે ખરેખર ફોજદારી કેસ બને છે?
ADVERTISEMENT
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ ફટકારી તેમનો જવાબ માંગ્યો છે. આ મામલો વર્ષ 2023માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન એક ચૂંટણી રેલીમાં તેમના કથિત ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે. કોર્ટે આગામી સુનાવણી માટે 27 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
રવિન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરી છે
ADVERTISEMENT
ખડગે પર કર્ણાટકમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આરએસએસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક અને ભડકાઉ ટિપ્પણી કરવાનો આરોપ છે. જેને લઇ રવિન્દ્ર ગુપ્તાએ આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. જોકે નવેમ્બર 2024 માં દિલ્હીની તીસ હજારી કોર્ટે અરજી નકારી હતી.
તીસ હજારી કોર્ટના આ નિર્ણયથી અસંતુષ્ટ અરજદાર રવિન્દ્ર ગુપ્તાએ રાઉસ એવન્યુ કોર્ટની સેશન્સ કોર્ટમાં તેને પડકાર્યો. અરજદારે દલીલ કરી હતી કે ખડગેનું ભાષણ માત્ર વાંધાજનક જ નથી પણ તેનાથી સમાજમાં નફરત ફેલાવવાની પણ આશંકા હતી. તેથી કાનૂની કાર્યવાહી જરૂરી છે.
ADVERTISEMENT
રાઉસ એવન્યુ કોર્ટે કહ્યુ કે તમામ પક્ષોને સાંભળવા જરૂરી
અરજી પર પ્રારંભિક સુનાવણી પછી રાઉસ એવન્યુ કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને નોટિસ જારી કરી અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું. કોર્ટે કહ્યું કે ખરેખર ફોજદારી કેસ બને છે કે નહીં તે નક્કી કરવા માટે કેસમાં તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ BHU માં બબાલ, બે વિદ્યાર્થી જૂથો વચ્ચે પથ્થરમારો થતાં અફરા તફરી
ADVERTISEMENT
તીસ હજારી કોર્ટે અગાઉ અરજી ખારીજ કરી હતી
ગયા વર્ષે 16 નવેમ્બરના તીસ હજારી કોર્ટે મલ્લિકાર્જુન ખડગે સામે દાખલ કરેલી ફરિયાદ ખારીજ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ખડગેએ એપ્રિલ 2023માં કર્ણાટકના નરેગલમાં એક ચૂંટણી રેલી દરમિયાન કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું, જે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી પણ કરી હતી. જો કે આ મામલો ડિસેમ્બર 2024માં સામે આવ્યો, જ્યારે કોર્ટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.