બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 6 લાશ અંદર, '5 મિનિટમાં મરી જઈશ', ઝેર પીધા બાદ કારમાંથી બહાર આવ્યો, ફૂટપાથ પર બેસતાં અણધાર્યું
Last Updated: 12:20 PM, 27 May 2025
હરિયાણાના પંચકૂલામાં એક જ ઘરના 7 સભ્યોનો આપઘાતનો મામલો ચગ્યો છે. આ ખૌફનાક કિસ્સામાં એક ભયાનક વીડિયો સામે આવ્યો છે જેમાં મૃતક પ્રવિણ મિત્તલે ઝેર પીધા બાદ ફૂટપાથ પર બેઠેલો જણાય છે અને રાહદારીઓને કહેતો સાંભળી શકાય છે કે કારમાં બધા મરી ગયા છે અને હું પણ 5 મિનિટમાં મરી જઈશ.
ADVERTISEMENT
શું બોલ્યો રાહદારી
સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, "હું તે માણસ પાસે ગયો અને તેને તેના ઠેકાણા વિશે પૂછ્યું. તેણે મને કહ્યું કે તેનો પરિવાર બાગેશ્વર ધામથી પાછો ફરી રહ્યો છે. તેમને કોઈ હોટેલ મળી નહીં અને તેમણે કારમાં રાત વિતાવવાનું નક્કી કર્યું ત્યાર બાદ તેણે કહ્યું કે કારમાં બધા મરી ગયા છે અને હું પણ 5 મિનિટમાં મરી જઈશ. આ પછી તે માણસે કારમાં નજર નાખી તો અંદર 6 લાશ પડેલી દેખાય ત્યાર બાદ તેણે પોલીસને એલર્ટ કર્યું હતું.
ADVERTISEMENT
ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળ્યા બાદ પરિવારે કર્યો આપઘાત
હરિયાણાના પંચકૂલામાં રાતના બાર વાગે ઘરના 6 સભ્યો સાથે સામૂહિક આપઘાત કરનાર મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનના પ્રવિણ મિત્તલે ઝેર પીધાં બાદ કાંપતા કાંપતાં મોત પાછળનું કારણ જણાવી દીધું હતું. ઝેરની અસર થયા બાદ પ્રવિણે કંપી ઉઠ્યો હતો અને આવી સ્થિતિમાં તેણે રાહદારીઓને જણાવ્યું હતું કે હું બેન્કમાંથી દેવાળિયો થઈ ગયો છું, મારા જ કારણે આ બધું થયું, મારા સસરાને કંઈ ન કહેતાં, અંતિમ સંસ્કાર સહિત જેટલી પણ વિધિઓ હશે તે મારો મામાનો છોકરો કરશે. હરિયાણાના પંચકૂલામાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂનના એક જ પરિવારના 7 સભ્યોએ પંચકૂલામાં કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચ્યો હતો. દેહરાદૂનના પ્રવિણ મિત્તલ નામના શખ્સ પરિવારના 6 સભ્યોને લઈને બાબા બાગેશ્વરની હનુમાન કથા સાંભળવા માટે આવ્યાં હતા, કથા સાંભળ્યાં બાદ તરત તેમણે કારમાં ઝેર ગટગટાવ્યું હતું અને થોડી વાર પછી તરફડી -તરફડીને મોતને ભેટ્યાં હતા.
ADVERTISEMENT
શું હતું આત્મહત્યાનું કારણ
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈટ નોટ મળી છે જેમાં સામૂહિક આપઘાતનું કારણ લખાયેલું હતું. પરિવારે ભારે દેવાના કારણે આત્મહત્યા કરી હતી. દેવું હદ બહાર જતાં રહેતાં ભરપાઈ શકે તેવો કોઈ માર્ગ જ રહ્યો નહોતો તેથી પરિવારને મોત વ્હાલું લાગ્યું અને બધાએ ભેગા મળીને ઝેર પી લીધું. પ્રવિણ મિત્તલે થોડા સમય પહેલાં દેહરાદૂનમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈ ન વળ્યું અને દેવું હદ બહાર જતાં રહ્યું હતું.
ADVERTISEMENT
કોણ હતા સામૂહિક આપઘાત કરનારા
સામૂહિક આપઘાત કરનારા લોકોમાં દેહરાદૂનના 42 વર્ષીય પ્રવિણ મિત્તલ, તેમના માતાપિતા, પત્ની અને 3 સંતાનો સામેલ છે. આ તમામ લોકોએ પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા સાંભળી હતી પછી જ જીવન ટૂંકાવ્યું હતું.
ADVERTISEMENT
11ના આપઘાતવાળા બુરાડી કાંડની યાદ અપાવી
ADVERTISEMENT
પ્રવિણ મિત્તલ પરિવારના સામૂહિક આપઘાતે દિલ્હીના બુરારીમાં 11 લોકોના સામૂહિક આપઘાતની યાદ અપાવી હતી. 1 જુલાઈની સવારે, દિલ્હીના બુરાડીના સંતનગરમાં એક જ પરિવારના 11 સભ્યો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, તે વખતે દેશમાં ખૂબ ચકચાર મચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.