બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કારણ જ એવું ! બાબા બાગેશ્વરનો ઉપદેશ પણ બેઅસર, સાંભળ્યાં બાદ 7 લોકોએ કારમાં ઝેર ઘોળ્યું, તરફડી મર્યાં
Last Updated: 08:58 AM, 27 May 2025
હરિયાણાના પંચકૂલામાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂનના એક જ પરિવારના 7 સભ્યોએ પંચકૂલામાં કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચ્યો હતો. દેહરાદૂનના પ્રવિણ મિત્તલ નામના શખ્સ પરિવારના 6 સભ્યોને લઈને બાબા બાગેશ્વરની હનુમાન કથા સાંભળવા માટે આવ્યાં હતા, કથા સાંભળ્યાં બાદ તરત તેમણે કારમાં ઝેર ગટગટાવ્યું હતું અને થોડી વાર પછી તરફડી -તરફડીને મોતને ભેટ્યાં હતા.
ADVERTISEMENT
Tragic news from Panchkula: 7 members of a family from Dehradun died by suicide after reportedly consuming poison inside a parked vehicle in Sector 27. Financial distress suspected. Police have recovered a suicide note. Investigation underway.#Panchkula #Haryana #Dehradun pic.twitter.com/Lt3HHF33R9
— Sushil Manav (@sushilmanav) May 27, 2025
શું હતું આત્મહત્યાનું કારણ
ADVERTISEMENT
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈટ નોટ મળી છે જેમાં સામૂહિક આપઘાતનું કારણ લખાયેલું હતું. પરિવારે ભારે દેવાના કારણે આત્મહત્યા કરી હતી. દેવું હદ બહાર જતાં રહેતાં ભરપાઈ શકે તેવો કોઈ માર્ગ જ રહ્યો નહોતો તેથી પરિવારને મોત વ્હાલું લાગ્યું અને બધાએ ભેગા મળીને ઝેર પી લીધું. પ્રવિણ મિત્તલે થોડા સમય પહેલાં દેહરાદૂનમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈ ન વળ્યું અને દેવું હદ બહાર જતાં રહ્યું હતું.
#हरियाणा के #पंचकुला में कार सवार 7 लोगों ने जहर खाकर जान दी।
— PRIYA RANA (@priyarana3101) May 27, 2025
ये परिवार बागेश्वर धाम की हनुमंत कथा में शामिल होने देहरादून से पंचकुला आया था और वापसी के दौरान ऐसा किया।
सुसाइड नोट में कर्जे का जिक्र है।
मृतकों में प्रवीण मित्तल, पत्नी, माता–पिता और तीन बच्चे शामिल हैं.!! pic.twitter.com/MN9o3Crcyq
ADVERTISEMENT
કોણ હતા સામૂહિક આપઘાત કરનારા
સામૂહિક આપઘાત કરનારા લોકોમાં દેહરાદૂનના 42 વર્ષીય પ્રવિણ મિત્તલ, તેમના માતાપિતા, પત્ની અને 3 સંતાનો સામેલ છે. આ તમામ લોકોએ પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા સાંભળી હતી પછી જ જીવન ટૂંકાવ્યું હતું.
ADVERTISEMENT
11ના આપઘાતવાળા બુરાડી કાંડની યાદ અપાવી
ADVERTISEMENT
પ્રવિણ મિત્તલ પરિવારના સામૂહિક આપઘાતે દિલ્હીના બુરારીમાં 11 લોકોના સામૂહિક આપઘાતની યાદ અપાવી હતી. 1 જુલાઈની સવારે, દિલ્હીના બુરાડીના સંતનગરમાં એક જ પરિવારના 11 સભ્યો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, તે વખતે દેશમાં ખૂબ ચકચાર મચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.