બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:48 PM, 4 July 2025
મુંબઈ: એક ચોંકાવનારી ઘટનામાં, એક કિશોર છોકરાએ, જે 14 વર્ષનો હોવાનું માનવામાં આવે છે, જે એક પ્રખ્યાત ગુજરાતી ટેલિવિઝન અભિનેત્રીનો પુત્ર હતો, તેણે બુધવારે રાત્રે કાંદિવલીની ગગનચુંબી ઇમારતના 57મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. વેસ્ટ મુંબઈના સી બ્રુક કોમ્પ્લેક્સમાં રહેતી આ અભિનેત્રી ગુજરાતી ટીવી સિરિયલોમાં તેના અભિનય માટે જાણીતી છે.
ADVERTISEMENT

શરૂઆતના રિપોર્ટ જણાવે છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે માતા અને તેના પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. કહેવાય છે કે તેણીએ પુત્રને ટ્યુશન ક્લાસ માટે જવાનું કહ્યું હતું., પરંતુ દીકરો આ માટે તૈયાર ન હતો. દલીલ ઉગ્ર બની અને ગુસ્સામાં તે ઇમારતના ઉપરના માળે ચઢી ગયો અને કૂદી પડ્યો.
ADVERTISEMENT

આ ઘટના 2 જુલાઈની સાંજે બની હતી, જ્યારે બુધવારે કાંદિવલી વિસ્તારમાં આવેલા બ્રુક બિલ્ડિંગ પરથી 14 વર્ષના છોકરા પંત આરતી મકવાણાએ આપઘાત કર્યો. રિપોર્ટમાં જણાવાયું છે કે છોકરાની માતાએ કહ્યું કે તેણીએ તેને સાંજે 7 વાગ્યાની આસપાસ તેના ટ્યુશનમાં જવાનું કહ્યું હતું, પરંતુ તે ખચકાઈ રહ્યો હતો. સતત આગ્રહ કર્યા પછી, છોકરો આખરે ઘરની બહાર નીકળી ગયો, જેના કારણે તેની માતાને લાગ્યું કે તે તેના વર્ગોમાં ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સોનમ-રાજા જેવો જ વધુ એક કેસ, પતિ 'બેવફા' નીકળ્યો, પત્નીને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી, પછી બન્યું ચોંકાવનારું
થોડી જ વારમાં, સિક્યોરિટી ગાર્ડ ઘરે પહોંચ્યો અને માતાને જાણ કરી કે તેનું બાળક મકાન પરથી નીચે પડી ગયું છે. પોલીસે જણાવ્યું કે તેને લોહીથી લથપથ હાલતમાં પડેલો મળ્યો. અકસ્માતે મૃત્યુનો અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.