બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / national hema malini big statement after ayodhya and kashi now a grand temple built in mathura too
Last Updated: 11:22 AM, 20 December 2021
ADVERTISEMENT

યુપીમાં ચૂંટણીમાં મથુરાનું કૃષ્ણ મંદિર પણ મુદ્દો બનતો જઈ રહ્યો છે
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મથુરાનું કૃષ્ણ મંદિર પણ મુદ્દો બનતો જઈ રહ્યો છે. યુપીના ડેપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પહેલા જ કહી ચૂક્યા છે કે અયોધ્યા બાદ મથુરાનો વારો છે. આ દરમિયાન મથુરાના સાંસદ હેમા માલિની પણ અહીં ભવ્ય મંદિર બનાવવાને લઈને મોટું નિવેદન આપી ચૂક્યા છે. હેમા માલિનીનું કહેવું છે કે અયોધ્યા અને કાશી બાદ હવે મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કૃષ્ણ જન્મ ભૂમિ મથુરામાં મંદિરથી અડીને મસ્જિદ છે જેને લઈને વિવાદ થતો રહ્યો છે. હવે આ મામલા કોર્ટમાં છે.
#WATCH | Being the MP of Mathura, which is the birthplace of Lord Krishna, I will say that there should be a grand temple. A temple is already there and can be beautified like Modi Ji developed Kashi Vishwanath corridor: BJP MP Hema Malini in Indore (19.12.2021) pic.twitter.com/91N7jeiw8d
— ANI (@ANI) December 20, 2021
ADVERTISEMENT
રામ જન્મભૂમિ અને કાશીના જીર્ણોદ્ધાર બાદ સ્વાભાવિક રુપથી મથુરા પણ બહું મહત્વપૂર્ણ
ADVERTISEMENT
રવિવારે ઈન્દોરમાં મીડિયાને સંબોધિત કરતા ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું રામ જન્મભૂમિ અને કાશીના જીર્ણોદ્ધાર બાદ સ્વાભાવિક રુપથી મથુરા પણ બહું મહત્વપૂર્ણ છે. મને કાશી આમંત્રિત કરવામાં આવ્યા છે અને હું સોમવારે જઈ રહી છું. મથુરાના સાંસદ હોવાના નાતે જો ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. જે પ્રેમ અને સ્નેહના પ્રતિક છે. હું કહીશ કે એક ભવ્ય મંદિર હોવો જોઈએ. એક મંદિર પહેલાથી જ છે અને આ સુશોભિત કરી શકાય છે જેમ કે પીએમ નરેન્દ્ર મોદીજીએ કાશી વિશ્વનાથ કોરિડોરનો વિકાસ કર્યો. તેમણે આગળ કહ્યું કે કાશી વિશ્વનાથનો જીણોદ્ધાર અને પુનર્વિકાસ બહું અઘરો હતો અને ગત કેટલાક વર્ષોમાં આ રીતના ફેરફાર કરવાનું કોઈએ વિચાર્યું નહોંતુ. પરંતુ શક્ય છે કે આ રીતે મથુરામાં પણ ભવ્ય મંદિરનું સપનું સાકાર કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.