બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 AM, 13 November 2025
Delhi Fire : દિલ્હી લાલ કિલ્લા પાસે તાજેતરમાં કાર બ્લાસ્ટ બાદ હવે ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મધ્ય દિલ્હીમાં બુધવાર સાંજે (12 નવેમ્બર) સિંધુ એપાર્ટમેન્ટ્સ કે જ્યાં અનેક સાંસદો પણ રહે છે ત્યાં અચાનક લાગી ગયેલી આગે શહેરમાં હડકંપ મચાવી દીધો હતો. સાંજે આશરે 8:44 વાગ્યે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વીજળી બોર્ડમાં આગ લાગી હોવાનું ફાયર વિભાગને કોલ મળતાં જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, કુલ આઠ ફાયર એન્જિન અને અનેક ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સતત મહેનત બાદ રાત્રે 9:15 વાગ્યે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, અને તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આગ લાગવાથી સાંસદોના જીવ અધ્ધર
ADVERTISEMENT
આ એપાર્ટમેન્ટમાં અનેક સાંસદોના રહેઠાણો આવેલાં હોવાથી શરૂઆતમાં થોડો ગભરાટ ફેલાયો હતો. આગની માહિતી મળતાં જ સુરક્ષા દળો અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આગ વીજળી બોર્ડના ભાગમાં લાગી હતી, પરંતુ સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : ફરી એકવાર દિલ્હીમાં સંભળાયો બ્લાસ્ટ જેવો અવાજ, પોલીસ થઈ દોડતી
ઓક્ટોબરમાં પણ બની હતી આવી જ દુર્ઘટના
ADVERTISEMENT
આ પહેલાં પણ દિલ્હીમાં આવી જ એક દુર્ઘટના બની હતી. ઓક્ટોબરની શરૂઆતમાં બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ્સ, જે સંસદ ભવનથી થોડે અંતરે આવેલ છે ત્યાં આગ લાગી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે એપાર્ટમેન્ટના ભોંયરામાં લાકડાનું ફર્નિચર સંગ્રહિત હતું અને નજીકમાં ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં છ ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને ફાયર ફાઇટરોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. રહેવાસીઓએ તરત જ પોતાના ઘર ખાલી કરાવ્યા હતા, જેના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. તે સમયે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી, જ્યારે ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે કોલ મળતાં જ તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.