બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ....તો નહીં બની શકો અગ્નિવીર સૈનિક! સેનાએ કર્યા નવા નિયમો જાહેર
Last Updated: 10:42 AM, 5 January 2026
Agniveer Scheme : અગ્નિવીર યોજનાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. ભારતીય સેનાની અગ્નિવીર યોજના હેઠળ ભરતી થયેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં શરૂ થયેલી આ યોજનાની પ્રથમ બેચની 4 વર્ષની સેવા અવધિ હવે પૂર્ણ થવા જઈ રહી છે. આવનારા જૂન–જુલાઈ મહિનામાં લગભગ 20,000થી વધુ અગ્નિવીર સૈનિકો પોતાની સેવા પૂર્ણ કરશે. આમાંથી માત્ર 25 ટકા અગ્નિવીરને જ કાયમી સૈનિક તરીકે સેવામાં સ્થાન મળશે. આ પસંદગી તેમની કામગીરી, શિસ્ત, શારીરિક ક્ષમતા અને પરીક્ષાના પરિણામના આધારે કરવામાં આવશે.
ADVERTISEMENT
લગ્ન અંગે સેના દ્વારા સ્પષ્ટ નિયમો
સેનાએ કાયમી પસંદગી પ્રક્રિયા માટે લગ્ન અંગે કડક નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અનુસાર ચાર વર્ષની સેવા દરમિયાન લગ્ન પર પ્રતિબંધ તો અગ્નિવીર તરીકે કામ કરતી અવધિમાં કોઈપણ સૈનિક લગ્ન કરી શકશે નહીં.
ADVERTISEMENT
સેવા પૂર્ણ થયા પછી પણ રાહ જોવી ફરજિયાત
ચાર વર્ષ પૂરા થયા બાદ પણ જ્યાં સુધી કાયમી ભરતી માટેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને અંતિમ પરિણામ જાહેર ન થાય, ત્યાં સુધી લગ્ન કરવાની મંજૂરી નહીં મળે. જો કોઈ અગ્નિવીર આ સમયગાળા દરમિયાન લગ્ન કરે છે, તો તેને કાયમી સૈનિક બનવાની પ્રક્રિયામાંથી સીધો બહાર રાખવામાં આવશે.
ADVERTISEMENT

શું તમે જાણો છો પસંદગી પ્રક્રિયા પાછળનો તર્ક ?
ADVERTISEMENT
અગ્નિવીરોની ભરતી સામાન્ય રીતે 21 વર્ષની ઉંમરે થાય છે અને ચાર વર્ષની સેવા બાદ તેઓ લગભગ 25 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. ત્યારબાદ કાયમી પસંદગીની પ્રક્રિયામાં ચારથી છ મહિનાનો સમય લાગી શકે છે. સેનાનું માનવું છે કે, આ સમયગાળા દરમિયાન સૈનિકોએ સંપૂર્ણ શિસ્ત, નિયમો અને સેવાના ધોરણોનું પાલન કરવું જરૂરી છે. તેથી અપરિણીત હોવું પણ પસંદગી માટે એક મહત્વપૂર્ણ શરત રાખવામાં આવી છે.
આ પણ વાંચો : આજથી બદલાઇ ગયો ટ્રેનમાં ઓનલાઇન ટિકિટ બુકિંગનો નિયમ, પેસેન્જર્સ ભૂલ્યા વિના વાંચી લે
ADVERTISEMENT
કોને મળશે કાયમી તક?
માત્ર એવા અગ્નિવીર જ કાયમી સૈનિક બનવા માટે અરજી કરી શકશે કે જેમણે ચાર વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય. તમામ શિસ્તબદ્ધ નિયમોનું પાલન કર્યું હોય અને પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અપરિણીત સ્થિતિ જાળવી રાખી હોય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.