બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી બદલાઇ ગયો ટ્રેનમાં ઓનલાઇન ટિકિટ બુકિંગનો નિયમ, પેસેન્જર્સ ભૂલ્યા વિના વાંચી લે

કામની વાત / આજથી બદલાઇ ગયો ટ્રેનમાં ઓનલાઇન ટિકિટ બુકિંગનો નિયમ, પેસેન્જર્સ ભૂલ્યા વિના વાંચી લે

Published By: Jinal Chauhan

Last Updated: 10:04 AM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC એ આજથી ઓનલાઈન ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. આધાર વેરિફિકેશન વાળા યુઝર્સ હવે આઠ કલાક પહેલા રિઝર્વેશન કરાવી શકશે. વેરિફિકેશન વિના સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમે ઓનલાઈન ટ્રેન બુક કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ઉપયોગી થઈ શકે છે.

જો તમે ઓનલાઈન ટ્રેન બુક કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. IRCTC એ આજથી એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમણે IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા રિઝર્વેશન માટે આધાર વેરિફિકેશન કરાવ્યું છે તેમને ફાયદો થશે. જે યુઝર્સના આધાર વેરિફિકેશન થયા નથી તેમને પ્રોબ્લેમ આવી શકે છે.આવા કેસમાં કન્ફોર્મ ટિકિટ ન પણ મળે.

IRCTC ના નવા નિયમો પ્રમાણે આજથી જે યુઝર્સે આધાર વેરિફિકેશન કરાવ્યું છે તેમને ફાયદો થશે જેમણે 60 દિવસ પહેલા રિઝર્વેશન કરાવવું પડશે. જો તમે તે કર્યું નથી તો તમેફિક્સ ટાઈમમાં રિઝર્વેશન કરાવી શકશો નહીં. IRCTC એ 29 ડિસેમ્બરે આધાર લિંક્ડ IRCTC યુઝર્સ માટે બુકિંગ નિયમોમાં કેટલાક સુધારા કર્યા છે.

man-using-application-for-buying-tickets-online-on-2023-11-27-05-04-07-utc

બુકિંગ 60 દિવસ અગાઉથી ખુલશે જેમાં જે યુઝર્સે પહેલાથી જ પોતાનું આધાર વેરિફાઇડ કરી લીધું છે તેવા લોકો સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રિઝર્વેશન કરાવી શકશે. જે લોકોએ આધાર વેરિફાય નથી કરાવ્યું એવા લોકો સાંજે 4 વાગ્યા પછી રિઝર્વેશન કરાવી શકશે. જ્યારે આ પહેલા આધાર-વેરિફાઇડ યુઝર્સ સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બુકિંગ કરાવી શકતા હતા હવે તેમની બુકિંગ વિન્ડો લંબાવવામાં આવી છે હવે તેમનો સમય વધારી દેવાયો છે.તેમને ચાર કલાકનો વધુ સમય આપવામાં આવ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ યૂઝરનું મોત થઈ જાય તો કોણે ચૂકવવી પડે બાકી રકમ? જાણો નિયમ

આ પગલું શા માટે લેવામાં આવ્યું

ભારતીય રેલવેએ વાસ્તિવક મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવા અને દલાલ અથવા અન્ય અનૈતિક તત્વો દ્વારા દુરુપયોગ અટકાવવા માટે આ પગલું ભર્યું છે. આનાથી 60 દિવસ અગાઉ ટિકિટ બુક કરાવનારા યુઝર્સને ફાયદો થશે જેનાથી તેમને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે.

વિન્ડો બુકિંગ નિયમોમાં કોઈ ફેરફાર નહીં

વિન્ડો ટિકિટ બુકિંગના નિયમોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ફેરફાર માત્ર ઓનલાઇન બુકિંગ માટે આધાર વેરિફિકેશન ધરાવતા યુઝર્સને મળતા સમયગાળામાં થયો છે. પહેલા આવા યુઝર્સને ટિકિટ બુક કરવા માટે 15 મિનિટ મળતી હતી, પછી તેને 4 કલાક કરવામાં આવી અને હવે તેમને સંપૂર્ણ 8 કલાકનો સમય આપવામાં આવશે. સામાન્ય રિઝર્વેશન શરૂ થાય તે પહેલાં આધાર-વેરિફાઇડ યુઝર્સને વધુ સમય મળે તે માટે આ વિન્ડો બપોરે 12 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે, પરંતુ કાઉન્ટર એટલે કે વિન્ડો પરથી ટિકિટ બુક કરવાની પ્રક્રિયા પહેલાની જેમ જ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC online ticket Aadhaar verified users booking rule change

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ