બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉજજૈનથી પરત આવતા ગુજરાતી મિત્રોની કાર ખીણમાં પડી, ક્ષત્રિય સમાજના 2 યુવકના દર્દનાક મોત
Last Updated: 10:56 AM, 12 May 2026
Ujjain Accident : મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરી રહેલા ગુજરાતીના મિત્રોને ભયાનક અકસ્માત નડતા સુરેન્દ્રનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ મહાકાલેશ્વરના દર્શન માટે ગયેલા ત્રણ મિત્રો પૈકી બે યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઉજજૈનમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2026
કાર ખાઈમાં ખાબકતા સુરેન્દ્રનગરના 2 યુવકોના મોત ઘરે પરત ફરતા MPના રતલામ નજીક કારને અકસ્માત નડ્યો જયદિપસિંહ અને શિશુપાલસિંહનું ઘટનામાં મોત થયું#Ujjain #Accident #Surendranagar #MadhyaPradesh #RoadAccident #VTVDigital pic.twitter.com/vcH5GF4rAK
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને મૂળી વિસ્તારના મિત્રો ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે તેઓ કાર મારફતે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના રતલામ નજીક તેમની કાર અચાનક બેકાબૂ બની ખાઈમાં ખાબકી ગઈ હતી.

ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર જયદિપસિંહ અને શિશુપાલસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ જોરાવરનગર અને મૂળી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં બે યુવાનોના અકાળે નિધનને કારણે માતમ છવાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.