મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહની તત્કાળ આદેશથી બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસ કમિશનરની બદલી
સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા આદેશ
રિલાયંસ કેસમાં કારના માલિકની મોત બાદ કરાઇ કાર્યવાહી
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બદલી માટે આદેશ આપ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. મહત્વનું છે કે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે મુંબઇ પોલીસ દ્વારા સુશાંત સિંહ રાજપૂત કેસ અને દિશા સાલિયાનના આપઘાત કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
Car's owner was Sam Muten who had given it to Mansukh Hiren for maintenance of its interior. Hiren had kept the car in his custody when Sam didn't pay for it: Maharashtra Home Minister Anil Deshmukh, in the state legislative Assembly
ઘણા મામલે પ્રસાર માધ્યમોમાં જાણીતો ચહેરો બની ગયા હતા પરમબીર સિંહ
આ સિવાય બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વિવાદમાં તેમજ રિપબ્લિક ટીવીના ચર્ચિત ટીઆરપી કૌભાંડ કેસની પ્રેસ કોન્ફરન્સ દ્વારા માધ્યમોમાં આવ્યા હતા.
I asked in House for protection to Mansukh Hiren, as he's the main link in the case & might be in danger. Now we get to know of his body being found. It makes the case fishy. Looking at this & alleged terror angle, we demand that case be handed over to NIA: Devendra Fadnavis, BJP pic.twitter.com/MJhivNDcvu
જો કે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી આ બધા કેસના લીધે નહીં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને માલિક મુકેશ અંબાણીના વૈભવી નિવાસ સ્થાન એન્ટાલિયાની બહાર મળેલી શંકાસ્પદ કારના માલિક મનસુખ હિરેનની મોતના લીધે થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસે NIA તપાસની માંગણી કરી હતી
નોંધનીય છે કે હમણાં થોડા દિવસ અગાઉ રિલાયંસના માલિક મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર જીલેટીનના વિસ્ફોટક ભરેલી એક કાર ઝડપાણી હતી, અને સાથે એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં અંબાણી પરિવારનો ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી હતી, જો કે આ કારના માલિકની શોધ કરતાં તેના માલિક મનસુખ હિરેન હોવાનું બહાર આવ્યું હતું વિધાનસભા વિપક્ષ નેતા અને પૂર્વ મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે રિલાયન્સના કેસ મામલે NIA તપાસની માંગણી કરી હતી.
આ કેસમાં પહેલાથી જ મહારાષ્ટ્ર સરકાર પર નક્કર તપાસ કરીને સત્ય બહાર લાવવાનું વ્યાપક દબાણ છે અને આ કેસની એકમાત્ર મુખ્ય કડી કહી શકાય તેવા વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં મોત થવાથી મહારાષ્ટ્ર સરકાર પર વધુ દબાણ સર્જાશે તે નક્કી છે, અને આ મામલે સરકારે ડેમેજ કંટ્રોલ કરવા તાત્કાલિક મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને તલબ કર્યા હતા, પરંતુ ફેસ સેવિંગ કાર્યવાહી માટે મુંબઇ પોલીસ કમિશનરની બદલી કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.