બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓએ ગઈકાલે સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યો હતો.
અમિતાભને મળી હોસ્પિટલમાંથી રજા
રૂટિન ચેકઅપ માટે થયા હતા એડમિટ
4 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં હતા એડમિટ
ગત સાંજે હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યો
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. શુક્રવારે સાંજે તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ તેમની સાથે દેખાયા હતા. અભિષેક કારની આગળની સીટ પર બેઠો હતો ત્યારે જયા પાછળની સીટ પર અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી.
Mumbai:Amitabh Bachchan leaves from Nanavati Hospital after being discharged from the hospital following a routine check up. pic.twitter.com/Np86xhcouY
મંગળવારે સવારે 3 વાગ્યે અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં અનેક રાઉન્ડમાં ચેકઅપ કરાયું હતું. તેમનું રૂટિન ચેકઅપ ઘણીવાર હોસ્પિટલમાં કરવામાં આવે છે. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનને ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. રૂટિન ચેકઅપ પૂર્ણ થયા બાદ શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રૂટિન ચેકઅપ બાદ બચ્ચનની તબિયત હવે સારી છે
અમિતાભની હોસ્પિટલમાં દાખલ થવા સમયે તેમની તબિયત અંગે ઘણી અટકળો થઈ હતી, પરંતુ હોસ્પિટલ તરફ આવું કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પ્રવેશ દરમ્યાન અમિતાભ બચ્ચન પાસે ડોકટરો અને નર્સ સિવાય બીજા કોઈને પણ જવાની મંજૂરી નહોતી. હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ નહીં. સૂત્રએ કહ્યું કે બિગ બી હવે સંપૂર્ણ રીતે ઠીક છે.