ઇજાને કારણે જસપ્રીત બુમરાહ થયા ટી20 વર્લ્ડ કપથી બહાર
મોહમ્મદ શામી લઈ શકે છે બુમરાહની જગ્યા
ભારતીય ટીમે શરૂ કરી દીધી છે પ્રેક્ટિસ
ઇજાને કારણે જસપ્રીત બુમરાહ થયા ટી20 વર્લ્ડ કપથી બહાર
ઓસ્ટ્રેલીયામા ટી20 વર્લ્ડ કપ 2022 રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની પહેલી મેચ 16 ઓકટોબરના રોજ રમવામાં આવશે. જોકે, ભારતીય ટીમ 23 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે મેચ દ્વારા વર્લ્ડ કપમાં શરૂઆત કરશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ચૂકી છે. સાથે જ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે અભ્યાસ શરૂ કરી દીધો છે, પણ ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે, કેમકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે.
જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી
હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે ટી20 વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શામી રમશે. મોહમ્મદ શામી 2 -4 દિવસોમા ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ શકે છે. બુમરાહના ઇજાગ્રસ્ત થયા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ઉમરાન મલિક અથવા મોહમ્મદ શામી આ ટુર્નામેન્ટમાં તેમની જગ્યા લઈ શકે છે. પણ હવે એવો દાવો કરવામાં આવે છે કે મોહમ્મદ શામી ટી20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહની જગ્યા લેશે.
ભારતીય ટીમે શરૂ કરી દીધી પ્રેક્ટિસ
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ગઈ છે. ભારત પહેલો મુકાબલો 23 ઓકટોબરનાં રોજ રમશે, પણ એ પહેલા ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પર્થના વાકા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. BCCIએ ભારતીય ખેલાડીઓની તસવીર પણ શેર કરી છે.