બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ગરમીમાંથી ક્યારે રાહત? ક્યારે પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Last Updated: 02:51 PM, 16 May 2026
રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી, જેના કારણે લોકોમાં ગરમીથી બચવા માટે ચિંતા વધી રહી છે.
ADVERTISEMENT
બપોરના સમયે રસ્તાઓ સૂમસામ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વલ્લભ વિદ્યાનગરમાં આજે મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યના સૌથી ગરમ વિસ્તારોમાં સામેલ રહ્યું. ગરમીના વધતા પ્રકોપને કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT

સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 19 મે બાદ ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
કેરલમમાં 26મે આસપાસ સક્રિય થશે ચોમાસુ
ADVERTISEMENT
આ સાથે જ ચોમાસાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ કેરળમાં ચોમાસું 26 મે આસપાસ સક્રિય થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં અંદાજે પાંચ દિવસ વહેલું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનો આપઘાત, 20 દિવસ પહેલા ખાધી હતી ઝેરી ગોળીઓ
ADVERTISEMENT
હાલ માટે હવામાન વિભાગે લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.