બ્રેકિંગ ન્યુઝ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત
VTV / Manipur Violence update: Meitei Kuki communities dispute spreading violence
Vaidehi
Last Updated: 01:56 PM, 20 June 2023
ADVERTISEMENT
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયની વચ્ચે 3 મેથી હિંસા ભડકેલી છે. આ હિંસામાં આશરે 100 લોકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે 10 હજારથી વધારે લોકોનાં ઘર સળગાવી દેવામાં આવ્યાં છે. 4100થી વધુ લોકો ફરિયાદ નોંધાવી ચૂક્યાં છે. ભયનાં લીધે હજારો લોકો ભાગી ગયાં છે. કેટલાક લોકો મિઝોરમ તો કેટલાક અસમમાં જતાં રહ્યાં છે. 50000 લોકોને રાહત શિબિરમાં રાખવામાં આવ્યું છે. સ્થિતિને કાબૂમાં લાવવા માટે 10 હજારથી પણ વધારે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યું છે. હિંસા ફેલાવનારા સરેંડર પણ કરી રહ્યાં છે તેમ છતાં હજુ સુધી રાજ્યમાં હિંસા શાંત નથી થઈ રહી.
#WATCH | Manipur CM N Biren Singh says, "...Now, I am going to have a review meeting of the security, how it happened and how it can be prevented in the future. These types of things have to be stopped immediately..." https://t.co/8rVpkz3Aqu pic.twitter.com/Y2xiS1txVX
— ANI (@ANI) June 19, 2023
ADVERTISEMENT
સરકારી તંત્રનું કોઈ સાંભળવા જ તૈયાર નથી
કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી આર.કે.રંજનનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. શાંતિની અપિલ પણ અનેક વખત કરવામાં આવી છે પરંતુ સ્થિતિ સુધરવાનું નામ જ નથી લઈ રહી. સરકાર અને સરકારી તંત્રનું કોઈ સાંભળવા જ તૈયાર નથી. કેન્દ્રીય સશસ્ત્ર બળની 84 કંપનીઓને રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. આ સિવાય રાઈફલ્સનાં પણ 10 હજારથી વધુ જવાનો તૈનાત છે તેમ છતાં મણિપુરની સ્થિતિ બગડતી જાય છે.
#WATCH | BJP's office in Manipur's Thongju was vandalised by a mob last night pic.twitter.com/JyGQnKMDsh
— ANI (@ANI) June 17, 2023
મણિપુરનાં CM બીરેન સિંહે શું કર્યું?
મણિપુરનાં CM બીરેન સિંહે ફરી એકવાર હથિયારોથી સજ્જ લોકોને હુમલો ન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે' તેઓ કોઈપણ ઘર પર હુમલો ન કરે, શાંતિ જાળવી રાખે જેથી અમે રાજ્યની પરિસ્થિતિ સામાન્ય કરી શકીએ. જો કે તેમણે ચેતવણી પણ આવી છે કે જો વાત ન માની તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું.' આ સિવાય CMએ કહ્યું કે હિંસાનાં ભયથી પોતાનું ઘર છોડીને ભાગી ગયેલા લોકોને ફરી ઘર સ્થાપિત કરવા માટે 3થી 4 હજાર પ્રી-ફેબ્રિકેટેડ ઘરનું નિર્માણ સરકાર કરી આપશે. આ ઘર 2 મહિનામાં તૈયાર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.