બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / બેદરકારીના આગકાંડ બાદ CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે, હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર પૂછ્યા
Last Updated: 09:43 AM, 26 May 2024
રાજકોટમાં સર્જાયેલ ગેમ ઝોન દુર્ઘટનાને લઈ વહીવટી તંત્ર દ્વારા જવાબદાર સામે કડક કાર્યવાહીનાં આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં બેદરકારીનાં આગકાંડ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી. તેમજ રાજકોટ મુખ્યમંત્રીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ભૂપેન્દ્ર પટેલે ગિરિરાજ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમજ મુખ્યમંત્રીએ ઘાયલોનાં ખબર અંતર પૂછ્યા બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો હતો. તેમજ ઘાયલોનાં મુલાકાત દરમ્યાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાં અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં એસઆઈટી ના તમામ સભ્યોને રાજકોટ પહોંચવા સૂચના અપાઈ છે. તેમજ મંજૂરી સહિતના મુદ્દે તપાસ માટે કલેક્ટર કચેરીએ બેઠકો કરાશે. મંજૂરી સહિતના મુદ્દે તપાસ માટે કલેક્ટર કચેરીએ બેઠકો કરાશે. મિસિંગ વ્યક્તિની શોધવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ અગાઉની દુર્ઘટનાનાં આરોપીઓ આજે પણ જેલમાં છે. જેની પણ સંડોવણી હશે. તેની સામે કડક પગલા લેવાશે.
વધુ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોની ઓળખ કરવા માટે થશે DNA ટેસ્ટ, સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાયા
આ સમગ્ર મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરાશે. તેમજ ઘટનામાં બાળકોનાં પણ મૃત્યું થયા છે. તેમજ પીડીત પરિવારને ન્યાય મળે તે માટે અને નિષ્પક્ષ રીતે તપાસ કરીશું. મારી સાથે ફોરેન્સિક સાયન્સનાં ડિરેક્ટર સહિતનાં વ્યક્તિઓ ટીમમાં છે. ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને તે માટે પણ અમે અહેવાલ રજૂ કરીશું. આ ઘટનામાં કોણ જવાબદાર, શા માટે મોટી બની સહિતની તપાસ થશે. તેમજ જુદા જુદા વિભાગોની ક્યાં પ્રકારની કામગીરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.