બ્રેકિંગ ન્યુઝ
મહાબળેશ્વરે ચેરાપૂંજીનો રેકોર્ડ તોડ્યો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દેશના અનેક રાજ્યોમાં વરસાદના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે.ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેરલથી માંડીને મહારાષ્ટ્ર સુધી પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વાત કરીએ મહારાષ્ટ્રના મહાબળેશ્વરની તો મહાબળેશ્વરે ચેરાપૂંજીનો રેકોર્ડ તોડ્યો છે. મહાબળેશ્વરમાં એક મહિનામાં 230 ઈંચ વરસાદ પડ્યો છે.
જેના કારણે મહાબળેશ્વરના ધોમ ડેમમાંથી ક્રિષ્ણા નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. જેના કારણે કોલ્હાપુર સહિત સાંગલી અને સોલાપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કોલ્હાપુરમાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્ય માટે ઉતારવી પડી છે.
ADVERTISEMENT
કર્ણાટકમાં એરલિફ્ટ કરી લોકોને બચાવાયા
Karanataka: Incessant rain has led to flooding on
— ANI (@ANI) August 9, 2019
Shivamogga - Chitradurga Road. #KarnatakaFloods pic.twitter.com/pAIqfjvpOi
ADVERTISEMENT
તો આ તરફ કર્ણાટકમાં જળ કહેરે માત્ર મનુષ્યોને જ નહી પરંતુ અબોલ પશુઓના જીવન પણ જોખમમાં મૂકી દીધા છે. ભારે વરસાદથી લોકોની હાલાકી વધી ગઈ છે. અનેક લોકો પૂરમાં ફસાઇ ગયા હતા. પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. મકાનની છત પર ફસાયેલા લોકોને નેવીએ હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવા પડયા હતા. સુરક્ષિત સ્થળે ખસેડવા પડયા હતા.
ADVERTISEMENT
Karnataka: CM BS Yediyurappa conducts an aerial survey of Ghataprabha and Malaprabha river basin. pic.twitter.com/KQE9eCo362
— ANI (@ANI) August 9, 2019
ADVERTISEMENT
કર્ણાટકમાં જ્યાં એક તરફ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીર ચાલુ છે ત્યાં બીજી તરફ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ઉત્તર કર્ણાટકના મોટા ભાગના જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કેરળમાં પણ ભારે વરસાદ
ADVERTISEMENT
તો આ તરફ કેરળમાં પણ ભારે વરસાદ અને પૂરે વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. કેરળના કાલીકટમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દ્રશ્યો કાલીકટના કોદાંચેરી ગામના છે. જ્યાં નદીના પાણી ગામમાં ફરી વળ્યા..ધસમસતો પાણીઓ આ પ્રવાહ જોઈને એમ જ લાગે કે ગામની વચ્ચેથી કોઈ નદી વહેતી હોય.. અહીં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે રાહત અને બચાવ ટીમ દ્વરા જહેમત કરવામાં આવી હતી.
Kerala CM: 315 relief camps have been set up, 22000 people are there. Most people in these camps are from Wayanad. Death toll,across state,is 22. Intensity of rainfall is likely to subside tomorrow but another spell of extremely heavy rainfall expected from Aug 15. #KeralaFloods pic.twitter.com/fY8MlVFKS5
— ANI (@ANI) August 9, 2019
વાયનાડમાં ભૂસ્ખલન
કેરળમાં પૂરના કારણે સૌથી વધારે તબાહી સર્જાઈ છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે સૌથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. જ્યાં પાણીના પ્રવાહમાં એક મકાન તાજના પત્તાની જેમ તૂટી પડ્યું હતું. રહેણાંક વિસ્તારની બાજુમાંથી નદી પસાર થઈ રહી હતી. જેના કારણે મકાન ક્ષતિગ્રસ્ત થયું અને બાદમાં 10 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું.
તો આ તરફ મધ્યપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે તબાહી સર્જાઈ છે. મધ્ય પ્રદેશના મંડલામાં એક કાર પૂરમાં ફસાઇ ગઇ હતી. મંડલામાં પિકનિક મનાવા ગયેલા ત્રણ યુવકો પૂરમાં ફસાઇ ગયા હતા. ત્રણેય યુવકો પૂરથી બચવા માટે કાર પર ચઢી ગયા હતા. જોકે પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા ત્રણેય યુવકને બચાવી લેવાયા હતા.
Kerala: Traffic movement, through Pattambi bridge, stops. The bridge is flooded as Bharathappuzha river is overflowing. pic.twitter.com/dOOi8ibvYk
— ANI (@ANI) August 9, 2019
વરસાદ સાથે સાથે આપણે મધ્યપ્રદેશથી થોડા આગળ વધીએ તો આ તરફ ઓરિસ્સામાં પણ વરસાદ અને પૂરે વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. ઓડિશામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે.. ગોદાવરી નદી પર બનેલા ઈદ્રવતી ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે. જેના કારણે ગોદાવરી નદીના હેઠવાસમાં પાણી છોડાઈ રહ્યું છે.ગોદાવરી નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો અને ગામડાઓને અલર્ટ પર મુકવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના હાલ બેહાલ
અડધા દેશને વરસાદે બાનમાં લીધો છે..ત્યારે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમથી પણ હૃદય થંભાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શ્રીકાકુલમમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વામાધાર અને નાગવલી નદીમાં ભારે પૂર આવ્યું છે. જેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. કલિંગપટનમ શહેરમાં નદી કિનારે બનેલા પ્રાણીઓના સ્ટેચ્યુના છે.
જે નદીમાં વહી ગયા છે. નદી કિનારે બનેલા હાથીના સ્ટેચ્યૂના પહેલા પાછળના બે પગ પાણીમાં વહી ગયા અને ત્યાર બાદ આખે આખો હાથી પાણીમાં વહી ગયો. તો બીજી તરફ જીરાફનું સ્ટેચ્યૂ પણ પાણીમાં વહી ગયું છે.
ટૂંકમાં અર્ધુ હિંદુસ્તાન આજે જળમગ્ન થઈ ગયું છે. વરસાદ પ્રભાવિત દરેક રાજ્યની સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલું છે. આશા રાખીએ જીવનદાતા એવો વરસાદ નાગરિકો માટે જીવલેણ ન બની જાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.