બ્રેકિંગ ન્યુઝ
કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ મુંબઈના દરિયા કિનારાથી "કર્ણિકા" નામની લકઝરી ક્રુઝ 400 પ્રવાસીઓ સાથે આજે એટલે કે 13મી નવેમ્બરે રાત્રે રવાના થઈ રહી છે જે 14 તારીખે સવારે 8 વાગે પહોંચશે. મનસુખ મંડાવિયાએ આ તમામ પ્રવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ADVERTISEMENT
આ પ્રસંગે આ ક્રુઝને ફ્લેગ ઑફ કરી રહેલા IAS અધિકારી શ્રી સંજય ભાટિયાએ જણાવ્યું હતું કે શિપિંગના કેન્દ્રીય મંત્રી દ્વારા મળેલ ટાર્ગેટ મુજબ મે 2020 સુધી દીવની 17 મુસાફરી કાપવામાં આવશે. સમય જતા સફરમાં બીજા સ્થળો પણ ઉમેરવામાં આવશે.
ADVERTISEMENT
17 મુસાફરીની તારીખો કઈ છે?
ADVERTISEMENT
14-11-19
21-11-19
28-11-19
12-12-19
19-12-19
09-01-20
16-01-20
30-01-20
06-02-20
13-02-20
27-02-20
19-03-20
02-04-20
16-04-20
30-04-20
14-05-20
28-05-20
આટલા છે દીવની મુસાફરીના ભાવ
ADVERTISEMENT
આ ટુર ૨ રાત્રી અને ૩ દિવસની છે જેમાં મુંબઈથી દીવ થઇને ક્રુઝ મુંબઈ પાછી આવશે. વ્યક્તિદીઠ ભાવ રૂપિયા 13000 થી 16000ની વચ્ચે છે. નોંધનીય છે કે ઉનાળામાં વેકેશન સીઝન હોવાથી ભાવ વધુ છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રના ગણપતિફૂલેના જાયગડ પોર્ટથી ઓક્ટોબર 2019માં આ ક્રુઝ શરુ કરવામાં આવી હતી જેમાં હવે દીવને ઉમેરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શું છે ખાણીપીણીમાં?
કર્ણિકા 40 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસે છે જેની મજા તમે રૂમમાં બેસીને, રેસ્ટોરન્ટમાં અથવા ડેક પર બેસીને માણી શકો છે.
ADVERTISEMENT
કર્ણિકા એક પ્રીમિયમ લકઝરી ક્રુઝ શિપ છે. તેની જાહોજલાલી ભરી સફર ફક્ત ભારતીય પ્રવાસીઓ એની પણ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.