બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Lunar Eclipse 2023 in india will shower money on 4 zodiac people from 28 october
ADVERTISEMENT
28 ઓકટોબર 2023ના રોજ છેલ્લું ચંદ્રગ્રહણ છે. શરદ પૂનમની રાતે આ ગ્રહણના કારણે 12 રાશિના જાતકો પર અસર થવાની છે. જેમાંથી અમુક રાશિઓ એવી છે જેમને આ ગ્રહણના કારણે લાભ થવાની શક્યતા છે.
ભારતના સમય અનુસાર 28 અને 29 તારીખની મધ્ય રાત્રિએ 11.32 વાગે આ ગ્રહણ શરૂ થશે અને રાતના 3.56 વાગ્યે સમાપ્ત થશે. ભારત સહિતના દુનિયાના અનેક દેશોમાં ગ્રહણ દેખાશે. જુઓ કઈ કઈ રાશિના જાતકોને મળશે લાભ.
ADVERTISEMENT
વૃષભ:
જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો વૃષભ રાશિના જાતકોને આ ગ્રહણથી મોટો લાભ મળવાનો છે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ફસાયેલા પૈસા પાછા મળવાના યોગ પણ બની રહ્યા છે.
મિથુન:
આ રાશિના જાતકોને ગ્રહણના કારણે ખાસ લાભ થવાનો છે. નોકરી અને વેપારમાં લાભ મળશે. ટેન્શન ઓછું થશે. ઘરમાં કોઈ મોટી સમસ્યા આવી હોય તો તે દૂર થઈ જશે.
ADVERTISEMENT
વૃશ્ચિક:
આ રાશિના જાતકો ચંદ્રગ્રહણના કારણે પૈસાનો લાભ થવાના યોગ બની રહ્યા છે. ક્યાંકથી પૈસાની આવક થઈ શકે છે, દેવામાંથી રાહત મળશે. જ્યાં કામ કરો છો ત્યાં પણ પરિસ્થિતિ સારી થશે.
ધનુ:
ચંદ્રગ્રહણના કારણે ધનુ એક એવી રાશિ છે જેને સૌથી વધુ લાભ થવાનો છે . નોકરી વેપારમાં સફળતા મળશે. પ્રમોશન અને તરક્કી થશે. આર્થિક લાભ થશે. જૂની સમસ્યાઓ થશે દૂર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.