બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:55 PM, 16 January 2021
ADVERTISEMENT
મળતી માહીતી અનુસાર, મહારાષ્ટ્રની અગ્રણી સંસ્થા વિદર્ભ સાહિત્ય સંઘે યશવંત મનોહરને લાઇફ ટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ આપવા માટે આમંત્રિત કર્યા હતા. જેમાં યશવંતજીને પુરસ્કાર મળવાનો હતો. તેના માટે એક શરત રાખી હતી કે સ્ટેજ પર સરસ્વતીજીની મૂર્તિ કે ચિત્ર ન લગાવવામાં આવે.
ADVERTISEMENT
આયોજકોએ ન માની વાત
મનોહરનું કહેવું છે કે, દેવી સરસ્વતીની મૂર્તિ એક શોષક માનસિકતાનું પ્રતિક છે, જેને મહિલાઓ અને શુદ્રોને શિક્ષા અને જ્ઞાન પ્રાપ્ત કરવાથી વંચિત રાખ્યા હતા. જો કે આયોજકોએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે સમ્માન સમારોહનું સ્વરૂપ બદલવામાં નહી આવે અને સરસ્વતી પૂજન તો થશે જ.
મરાઠીમાં કવિએ લખી ચિઠ્ઠી
મરાઠીમાં લખેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું કે, મને આશા હતી કે મારા માટે કાર્યક્રમની રૂપરેખા બદલાશે. વિદર્ભ સાહિત્ય સંઘ મારા વિચાર અને સિદ્ધાંતો વિશે વિચારશે અને કાર્યક્રમમાં બદલાવ કરશે પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે સ્ટેજ પર સરસ્વતિની મૂર્તિ હશે જેના કારણે હું તે પુરસ્કાર લેવા ન ગયો. હું સાહિત્ય ધર્મમાં દખલ સ્વિકાર કરી શકુ નહી, જેના કારણે હું આ સન્માન લેવાથી ઇન્કાર કરુ છુ.
વિદર્ભ ક્ષેત્રમાં મરાઠીની સૌથી મોટી સાહિત્ય સંસ્થા
યશવંતે આ ચિઠ્ઠી જે વિદર્ભ સાહિત્ય સંઘને લખી તે વિદર્ભ ક્ષેત્રમાં મરાઠી સાહિત્ય માટે કામ કરનારી સૌથી મોટી સંસ્થા છે. જેની સ્થાપના 1923માં મરાઠી સાહિત્યના વિસ્તાર માટે થઇ હતી. જે દર બે વર્ષે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ યોજે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.