બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભારતની પહેલી વજન ઘટાડવાની દવા ટ્રાયલમાં સફળ, બજારમાં ક્યારે આવશે?
Last Updated: 03:50 AM, 15 November 2025
સન ફાર્મા દ્વારા વિકસાવવામાં આવી રહેલી નવી દવા યૂટ્રિગ્લૂટાઈડે પ્રારંભિક ટ્રાયલમાં મેનોપોઝ પછીની મહિલાઓમાં મહત્વપૂર્ણ વજન ઘટાડો અને મેટાબોલિક સુધારાઓ દર્શાવ્યા છે. આ દવા આગામી સમયમાં ભારતની પ્રથમ અસરકારક એન્ટી-ઓબેસિટી મેડિસિન બની શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતમાં સતત વધી રહેલી લાઇફસ્ટાઇલ સમસ્યાઓને કારણે મોટાપો સૌથી મોટું હેલ્થ કન્સર્ન બની ગયું છે. ખાસ કરીને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં મેનોપોઝ પછી વજન ઝડપથી વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આવા સમયમાં ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી દવા યૂટ્રિગ્લૂટાઈડ આશાનું કિરણ બની છે.

ADVERTISEMENT
નવી દવા GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ છે—એ જ કેટેગરી જેમાં મોંઝારો (Mounjaro) અને વેગોવી (Wegovy) આવે છે. આ દવાઓ ભૂખ ઘટાડીને વજન ઓછું કરવામાં મદદ કરે છે. અમેરિકાના ન્યૂ ઓર્લિન્સમાં આયોજિત American Heart Associationના સાયન્ટિફિક સેશનમાં સન ફાર્માએ તેની પ્રારંભિક ફેઝ 1a/2b સ્ટડી રજૂ કરી હતી. આમાં મેનોપોઝ પછીની 52 થી 69 વર્ષની મહિલાઓ સામેલ હતી. 14 અઠવાડિયા સુધી દવા આપ્યા બાદ મળેલા પરિણામો અત્યંત પ્રભાવશાળી રહ્યા:
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પરિણામો સૂચવે છે કે યૂટ્રિગ્લૂટાઈડ ફક્ત મોટાપો જ નહીં પરંતુ MASLD જેવી મેટાબોલિક લિવર ડિસીઝ સામે પણ અસરકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
ડૉક્ટર અનુસાર આ પરિણામો ખૂબ જ ઉત્સાહજનક છે અને મોટાપો તથા મેટાબોલિક લિવર ડિસીઝ બંને માટે નવી આશા આપે છે.
ટ્રાયલના આ તબક્કાના સફળતા પછી આગળના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થશે. જો બધું આયોજન મુજબ ચાલે અને નિયમનકારી સંસ્થાઓ પાસેથી મંજૂરી મળી જાય, તો આ દવા આગામી કેટલાક વર્ષોમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.
હાલમાં ભારતમાં એન્ટી-ઓબેસિટી મેડિસિન માર્કેટ ₹3,000–3,500 કરોડ છે. જે 2030 સુધીમાં ₹25,000 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે.લાઇફસ્ટાઈલ ડિસીઝ અને મોટાપાના વધતા પ્રભાવને કારણે આ બજાર ઝડપથી વિકસતું જઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.