બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજિંદા જમવાની પ્લેટ દ્વારા પણ ફેલાય છે બીમારીનો ખતરો! ICMRના રિપોર્ટે વધાર્યું ટેન્શન
Last Updated: 01:05 PM, 11 October 2025
ભારતીયોની રોજિંદા પ્લેટમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રા અડધાથી વધુ છે, જે ડાયાબિટીસ, મેદસ્વીતા અને પેટની ચરબી વધારવાનું મુખ્ય કારણ બની રહ્યું છે. ભારતીય સરકારના ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન (MDRF) દ્વારા કરવામાં આવેલી નવીનતમ સ્ટડીમાં આ ચિંતાજનક તથ્યો સામે આવ્યા છે. ICMR-INDIAB સર્વે-21 નામક આ સંશોધનમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમના દૈનિક કેલરીના 62 ટકા કાર્બોહાઇડ્રેટ્સથી મેળવે છે, જેમાંથી મોટાભાગની માત્રા વ્હાઇટ ચોખા, પ્રોસેસ્ડ ફૂટ અને રિફાઇન્ડ લોટથી આવે છે.
ADVERTISEMENT

આ સ્ટડી 'નેચર મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થઈ છે અને તેમાં 18,090 વયસ્કોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સ્ટડી 2008થી 2020 સુધીના 15 વર્ષના સમયગાળામાં 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને દિલ્હી-NCRમાંથી લેવામાં આવ્યા ડેટા પર આધારિત છે. તેમાં 20 વર્ષથી વધુ ઉંમરના લોકોના સર્વે કરવામાં આવ્યા હતા. પરિણામોમાં જાણવા મળ્યું કે ભારતીય વાનગીઓમાં પ્રોટીનની માત્રા ઓછી અને સેચ્યુરેટેડ ફેટ વધારે છે. વધુ પડતા કાર્બ્સનું સેવન ટાઇપ-2 ડાયાબિટીસ, મેદસ્વીતા અને પેટની ચરબી વધારવાનું જોખમ 15થી 30 ટકા વધારે કરે છે. જેમણે ન્યુનતમ કાર્બ્સ કરતાં વધુ કાર્બ્સ લીધા, તેમાં ડાયાબિટીસનું જોખમ 30 ટકા, મેદસ્વીતાનું 22 ટકા અને પેટની ચરબીનું 15 ટકા વધુ જોવા મળ્યું.
ADVERTISEMENT

આ ઉપરાંત, સફેદ ચોખા અને મિલ્ડ અનાજ જેવા લો-ક્વોલિટી કાર્બ્સ કાર્ડિયોમેટાબોલિક રિસ્કને 14થી 30 ટકા વધારે છે. સ્ટડીના લીડ ઓથર અને MDRFની પ્રેસિડન્ટ કહે છે, "ભારતીય વાનગીઓમાં સફેદ ચોખા કે આખા ગંમ ફ્લોરથી વધુ પડતા કાર્બ્સ અને ઓછા ગુણવત્તાવાળા પ્રોટીનનું સેવન લાખો લોકોને જોખમમાં મુકે છે." તેઓ વધુમાં કહે છે કે માત્ર વ્હાઇટ ચોખાને આખા અનાજથી બદલવું પૂરતું નથી, કુલ કાર્બ્સની માત્રા ઘટાડીને વનસ્પતિ-આધારિત (ડાળ-ડાર, બદામ) કે ડેરી પ્રોટીન (દૂધ, દહીં, પનીર) વધારવું જરૂરી છે. MDRFના ચેરમેન અને સિનિયર ઓથર, કહે છે, "આ તથ્યો નીતિ નિર્માણ માટે પ્રેરણાદાયી છે.
ADVERTISEMENT

ખોરાક સબસિડી અને જાહેર આરોગ્ય સંદેશાઓમાં ફેરફાર કરીને કાર્બ્સ ઓછા અને પ્રોટીન વધુ વાળી વાનગીઓને પ્રોત્સાહન આપવું જોઈએ." એક્સપર્ટ્સ મુજબ, ભારતીય થાળીમાં ચોખા, રોટલી અને ખાંડનું વધુ પડતું વર્ચસ્વ છે, જ્યારે પ્રોટીનની કમી રહે છે. પ્રોસેસ્ડ અને સિમ્પલ કાર્બ્સ બંને ડાયાબિટીસનું જોખમ વધારે છે. તેથી, રિફાઇન્ડ લોટની રોટલીની જગ્યાએ હાઇ-ફાઇબર આખા અનાજ (જવ, બાજરી) અને લાંબા પોલિશવાળા ચોખાનું મર્યાદિત સેવન કરવું જોઈએ. સ્ટડીમાં જણાવાયું છે કે દૈનિક કેલરીના માત્ર 5 ટકા કાર્બ્સને પ્રોટીનથી બદલવાથી ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે.
ADVERTISEMENT
વધું વાંચો: શુભમન ગિલે ડંકો વગાડ્યો, તોડ્યો રિષભ પંતનો આ રેકોર્ડ, બન્યો નંબર 1 ખેલાડી
21 રાજ્યોમાં ખાંડનું સેવન રાષ્ટ્રીય માર્ગદર્શિકા (5 ટકાથી ઓછું) કરતાં વધુ છે, જે વધુ ચિંતાનું કારણ છે. બચાવ માટેના ઉપાયોમાં કાર્બ્સ અને સેચ્યુરેટેડ ફેટ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વનસ્પતિ-આધારિત અને પ્રોટીનયુક્ત વાનગીઓ (દાળ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ ) વધારવી, તેમજ શારીરિક પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવી જરૂરી છે. ICMRના આ તથ્યો ભારતમાં વધતા મેટાબોલિક રોગોના સંકટને રોકવા માટે જાગૃતિ અને નીતિગત ફેરફારોની માંગ કરે છે. જો આટલા સરળ ફેરફારો અપનાવાય, તો લાખો જીવનોને જોખમથી બચાવી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.