સોપારીનું નામ સાંભળતા જ દિમાગમાં પાનનું નામ સૌથી પહેલા આવે છે કારણ કે આપણા ત્યાં લોકો પાન સોપારી ખાવાનું વધારે પસંદ કરે છે. આયુર્વેદમાં સોપારીથી જોડાયેલા ઘણા ફાયદા માટે જાણવા મળ્યું છે. સોપારી પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ફેટ અને મિનરલ હોય છે. આ ઉપરાંત એમાં ટેનિન ગેલિક એસિડ અને લિગનિન પણ મળી આવે છે. આ ગુણોના કારણે એનો પ્રયોગ ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે.
જો કે સૌપારીના વધારે સેવનથી કેન્સરના જોખમને પણ જોવા મળ્યું છે. એટલા માટે એને ઓછી ખાવી જોઇએ. પરંતુ સૂકી સોપારીના ખાવાથી ફાયદા હોય છે.
સોપારીના પાણીનું અર્ક આપણા મોઢામાં મળી આવતા વિશિષ્ટ બેક્ટેરિયાના પ્રતિ માઇક્રોબિયલ મૂવમેન્ટ દ્વારા એને દૂર કરે છે. આ ઉપરાંત સોપારીમાં ભરપૂર માત્રામાં જીવાણુરોધી ગુણ મોજૂદ હોય છે સોપારીનો ઉપયોગ ટૂથપેસ્ટ બનાવવા માટે પણ કરવામાં આવે છે. એના સેવનથી આપણા દાંતથી કૈવિટીની સમસ્યા દૂર થઇ જાય છે.
નિયમિત રૂપથી ચાવવાથી માંસપેશીઓ શક્તિમાં સુધારો કરી શકાય છે.
જે લોકો સોપારી ચાવે છે એ ખૂબ પ્રમાણમાં લાળ પેદા કરવાની પ્રવૃત્તિ રાખે છે. જે લોકોનું મોઢું હેમશા સૂકાયેલું રહે છે એ વ્યક્તિઓને ડાયાબિટસ સિન્ડ્રોમ જેવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે.
જો તમને કોઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારા માટે સોપારીનું સેવન રામબાણ ઔષધિના રૂપમાં કામ કરે છે. એમાં ભરપૂર માત્રામાં ટૈનિન નામનું તત્વ રહેલું હોય છે. જે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
કોઇ પણ પ્રકારની ઇજા થવા પર સોપારીથી બનેલા કાઢાથી ઘાવને ધોઇને એના બારીક ચૂર્ણને લગાવવાની લોહી આવવાનું બંધ થઇ જાય છે અને થોડાક જ સમયમાં ઘાવ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ જાય છે.