બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:42 PM, 31 July 2026
1/5
શ્રાવણનો પાવન મહિનો ચાલી રહ્યો છે અને આજે સાવનનો બીજો દિવસ છે. હિંદુ ધર્મમાં આ મહિનો ભગવાન શિવની પૂજા-અર્ચના માટે સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે જે ભક્ત સાવનમાં સાચી શ્રદ્ધાથી ભોલેનાથની પૂજા કરે છે, જલાભિષેક કરે છે અને શ્રાવણના સોમવારે શિવજીના નામનો ઉપવાસ રાખે છે, તેમના પર ભોલેનાથ વિશેષ કૃપા વરસાવે છે. આ સમયે લોકો પૂજા-પાઠ સાથે સાથે પોતાના ખાનપાન અને જીવનશૈલીમાં પણ ઘણા ધાર્મિક નિયમોનું પાલન કરે છે. એવી જ એક માન્યતા છે કે આ આખા મહિને કઢી ન ખાવી જોઈએ.
2/5
જ્યોતિષાચાર્યના મતે, ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ પહેલાં દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગનિદ્રામાં ચાલ્યા જાય છે. ત્યારે ભોલેનાથને શાસનસત્તા સોંપવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભોલેનાથને કાચું દૂધ, દહીં અને અન્ય દૂધના પદાર્થો અર્પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ ભગવાનની પૂજા માટે ખુબ પવિત્ર માનવામાં આવે છે.
3/5
4/5
આ સમયે લોકો હલકું, શુદ્ધ અને સહેલાઈથી પચી જાય તેવું ભોજન કરવા પર ભાર આપે છે. એવું માનવામાં આવે છે કે આવું ભોજન મનને શાંત રાખે છે અને પૂજા-પાઠમાં એકાગ્રતા વધારે છે. વધુમાં આ મહિને વધારે ખાટું કે ભારે ભોજન ટાળવાની સલાહ આપવામાં આવે છે. કઢી દહીંથી બને છે અને તેનો સ્વાદ ખાટો હોય છે, તેથી ઘણા લોકો ધાર્મિક નિયમોનું પાલન કરીને તેને થોડા સમય માટે આહારમાંથી દૂર રાખે છે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ