બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કાઠીયાવાડીઓની ફેવરિટ હોય છે કઢી, જાણો શ્રાવણ મહિનામાં ખાવી જોઈએ કે નહીં?

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / કાઠીયાવાડીઓની ફેવરિટ હોય છે કઢી, જાણો શ્રાવણ મહિનામાં ખાવી જોઈએ કે નહીં?

Last Updated: 07:42 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણમાં કઢી ન ખાવાની મનાઈ કરવામાં આવે છે કેમ કે, તેમાં દહીંનો ઉપયોગ થાય છે. આ મહિને દૂધ-દહીં ભગવાન શિવને અર્પણ કરવા માટે પવિત્ર માનવામાં આવે છે. આ સમય સંયમ અને સાત્વિક આહારનો પણ છે.

1/5

photoStories-logo

1. શ્રાવણમાં કઢી

શ્રાવણનો પાવન મહિનો ચાલી રહ્યો છે અને આજે સાવનનો બીજો દિવસ છે. હિંદુ ધર્મમાં આ મહિનો ભગવાન શિવની પૂજા-અર્ચના માટે સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે જે ભક્ત સાવનમાં સાચી શ્રદ્ધાથી ભોલેનાથની પૂજા કરે છે, જલાભિષેક કરે છે અને શ્રાવણના સોમવારે શિવજીના નામનો ઉપવાસ રાખે છે, તેમના પર ભોલેનાથ વિશેષ કૃપા વરસાવે છે. આ સમયે લોકો પૂજા-પાઠ સાથે સાથે પોતાના ખાનપાન અને જીવનશૈલીમાં પણ ઘણા ધાર્મિક નિયમોનું પાલન કરે છે. એવી જ એક માન્યતા છે કે આ આખા મહિને કઢી ન ખાવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શ્રાવણમાં કઢી કેમ નથી ખાતા?

જ્યોતિષાચાર્યના મતે, ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ પહેલાં દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગનિદ્રામાં ચાલ્યા જાય છે. ત્યારે ભોલેનાથને શાસનસત્તા સોંપવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભોલેનાથને કાચું દૂધ, દહીં અને અન્ય દૂધના પદાર્થો અર્પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ ભગવાનની પૂજા માટે ખુબ પવિત્ર માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દહીંનો ઉપયોગ

તેથી આ મહિને દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું સેવન નિષેધ ગણાય છે. કઢી બનાવવામાં દહીંનો ઉપયોગ થાય છે, એટલે શ્રાવણમાં તેને ખાવાની પરંપરા નથી. શ્રાવણ માત્ર પૂજા-પાઠનો મહિનો નથી, પણ સંયમ, સાદગી અને સાત્વિક જીવન જીવવાનો સંદેશ પણ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પૂજા-પાઠમાં એકાગ્રતા

આ સમયે લોકો હલકું, શુદ્ધ અને સહેલાઈથી પચી જાય તેવું ભોજન કરવા પર ભાર આપે છે. એવું માનવામાં આવે છે કે આવું ભોજન મનને શાંત રાખે છે અને પૂજા-પાઠમાં એકાગ્રતા વધારે છે. વધુમાં આ મહિને વધારે ખાટું કે ભારે ભોજન ટાળવાની સલાહ આપવામાં આવે છે. કઢી દહીંથી બને છે અને તેનો સ્વાદ ખાટો હોય છે, તેથી ઘણા લોકો ધાર્મિક નિયમોનું પાલન કરીને તેને થોડા સમય માટે આહારમાંથી દૂર રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

curry Jalabhishek Shravan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ