દેશના સૌથી જૂના અયોઝ્યાના રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદના કેસમાં આજે સવારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે. અયોધ્યા પ્રાચીન કાળથી જ ધર્મ અને સંસ્કૃતિની પરમ પાવન નગરીના રૂપમાં સંપૂર્ણ વિશ્વમાં પ્રખ્યાત છે.
અયોધ્યા મંદિર દુનિયાભરમાં છે પ્રખ્યાત
અયોધ્યાની સાથે લો આ મંદિરોની મુલાકાત
જાણી લો દરેક મંદિરનો ખાસ મહિમા
જૈન ધર્મના પ્રણેતા શ્રી આદિત્યનાથ સહિત 5 તીર્થિંકર આ જ નગરીમાં જન્મ્યા હતા. ચીની યાત્રી ફાહ્યાન અને હ્વેનસાંગે પણ અયોધ્યા નગરીનો ઉલ્લેખ કર્યો હતો. સરયૂના કિનારે પ્રાચીન અયોધ્યા નગરીના પ્રમુખ સ્થળોને વિશે જાણો આ સ્થળોને.
હનુમાનગઢી
અયોધ્યાની વચ્ચોવચ હનુમાનગઢીમાં રામભક્ત હનુમાનજીનું વિશાળ મંદિર છે. એવી માન્યતા છે કે અયોધ્યામાં સૌથી પહેલાં હનુમાનગઢી મંદિરમાં બજરંગબલીના દર્શન કરીને તેમના આર્શિવાદ લેવા. પછી અન્ય મંદિરોએ જવું. આ પછી રામ દુઆરે તુમ રખવાલે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે..ની માન્યતા જોવા મળે છે. હનુમાનજીની કૃપા વિના કોઈને રામજીના આર્શિવાદ મળતા નથી.
દિગંબર જૈન મંદિર
અયોધ્યા જૈન મતાવલંબિયોને માટે પણ પવિત્ર તીર્થ છે. માન્યતા છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ (આદિનાથ)નો જન્મ અહીં થયો હતો.
કનક ભવન
અયોધ્યાનું કનક ભવન ખૂબ જ વિશાળ અને ભવ્ય મંદિર છે. રામ-જાનકીની મૂર્તિ પણ શ્રદ્ધાળુઓને મોહિત કરે છે. શ્રીરામન-જાનકીની પ્રતિમા પણ દરેક વ્યક્તિના સંતાપને દૂર કરે છે.
ઋષભદેવની ભવ્ય પ્રતિમા
દિગંબર જૈન મંદિરમાં સ્વામી ઋષભદેવની ભવ્ય પ્રતિમા વિરાજમાન છે. આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંતિમય છે. જે દરેકને શાંતિ આપે છે.