બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Politics / Ketan Inamdar political drama The End Harsh Sanghvi statement

Election 2024 / કેતન ઈનામદારના રાજકીય નાટકનો ધ એન્ડ! હર્ષ સંઘવીએ જણાવી મનામણાની અંદરની વાત

Vishal Khamar

Last Updated: 05:25 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: કેતન ઇનામદારના રાજીનામા અને નારાજગી મામલે હર્ષ સંઘવી એ કહ્યું કે, વિકાસની યાત્રાને આગળ વધારવાનો નિર્ણય થયો છે તેમણે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી હતી

લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂર જોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે રાજકીય પક્ષોના નેતાઓએ પણ પોતાના જુદા જુદા રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. તો બીજી તરફ ભાજપના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈમાનદારે ફેક્સ મારફતે રાજીનામું ધરી દીધું હતું. જો કે, અંતે કેતન ઈનામદાર પ્રદેશ અધ્યક્ષની વાત માની લીધી છે અને હવે તેઓ રાજીનામું નહી આપે તેવી વિગતો આવી છે. જો કે, આ રાજીનામાને એક ડ્રામો હોવાની પણ ચર્ચા છે. 

હર્ષ સંઘવીએ શું કહ્યું ?
કેતન ઇનામદારના રાજીનામા અને નારાજગી મામલે હર્ષ સંઘવીનું નવિદેન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. વિકાસની યાત્રાને આગળ વધારવાનો નિર્ણય થયો છે. નગરજનોની વાત હતી,એમના મનમાં લોકોની સેવા ધ્યેય હોય છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે, કાર્યકર્તા તરીકે અધ્યક્ષની વાતને માન આપ્યું છે. હવે કોઇ પ્રશ્ન નથી. જે પ્રશ્ન હતા એ ક્લીયર કરવામાં આવ્યા છે 

કેતન ઈનામદારે શું કહ્યું ?
કેતન ઈનામદારે કહ્યું કે, રાજીનામા વાળી વાત 2020માં પણ હતી આજે પણ છે. મેં મારા અંતર આત્માના અવાજની વાત કરી છે.  મારા અંતર આત્માની વાત પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી મંત્રી સાથે પહોંચાડી છે. જેમણે આ વાતને પોઝિટીવ લીધી છે. મારા તમામ પ્રશ્નો સકારાત્મક નિવારણની ખાતરી આપી છે. પ્રભારી મંત્રી અને સંગઠને બધું જ પોઝિટીવ લીધું છે. મેં સાચી અને સારી વાત ઉપર સુધી પહોંચાડી છે. 

વાંચવા જેવું: '...તો ભાજપ સીધું ઝીરોએ આવી જશે, આ ખોટું કરી રહ્યાં છે', શું મધુ શ્રીવાસ્તવ પણ પાર્ટીથી નારાજ?

કોણ છે કેતન ઇનામદાર
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ