બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / KARNAL DOCTOR Manoj Mittal CONSUMES COW DUNG URINE CLAIM IT TO BE CURE OF MANY DISEASES
ADVERTISEMENT
સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમા એક ડૉક્ટર ગોબર ખાતો દેખાઈ રહ્યો છે, ગોબર ખાતા ડૉક્ટરનું નામ છે મનોજ મિત્તલ. કરનાલનાં MBBS છેલ્લા કેટલાય વર્ષોથી ગૌમૂત્ર ખાય અને ગોબર ખાય છે, એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ડોક્ટરે અનેક દાવાઓ પણ કર્યા હતા.
Dr. Manoj Mittal MBBS MD's prescription. Via @ColdCigar pic.twitter.com/SW2oz5ao0v https://t.co/Gzww80KiSs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) November 16, 2021
ADVERTISEMENT
જાણો શું છે ડૉક્ટરનો દાવો
મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું ગાયના ગોબરમાં ખૂબ જ ભારે માત્રામાં વિટામિન 12 હોય છે જે રેડીએશનથી બચાવે છે. મોબાઈલ, એસી, ફ્રીઝ જેવા સાધનો અનેક પ્રકારનાં રેડીએશન છોડે છે જેનાથી કેન્સર થઈ શેક છે. જોકે ગોબર આવા રેડીએશનથી બચાવી શકે છે.
ADVERTISEMENT
ગોબરનાં કર્યા વખાણ
ડૉક્ટર મનોજ મિત્તલે કહ્યું કે જૉ કોઈ ગર્ભવતી મહિલા ડિલિવરી સમયે ગોબરનો રસ લઈ તો ડિલિવરી નોર્મલ થવાના ચાન્સ વધી જશે. આટલું જ નહીં ગાયના છાણથી અનેક પ્રકારની બીમારી પણ ઠીક થઈ જાય છે તેવી દાવો પણ આ ડોક્ટરે કર્યો હતો.
ડૉક્ટરને લોકોએ કર્યા ટ્રોલ
નોંધનીય છે કે ડૉક્ટર મનોજ મિત્તલ ચાઈલ્સ સ્પેશ્યાલિસ્ટ છે અને તેમની પોતાની મોટી હોસ્પિટલ પણ છે. ડૉક્ટર મનોજ કહે છે કે તેઓ ફર્શ પર જ સુવે છે અને ગાયના ગોબરમાં 28 ટકા ઑક્સીજન હોય છે જેનાથી શરીરને ખૂબ લાભ થાય છે. જોકે સોશ્યલ મીડિયામાં લોકો આ ડૉક્ટરને બરાબરનો ટ્રોલ કરી રહ્યા છે, કેટલાક લોકો તો તેમની ડિગ્રી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે તેમના સમર્થનમાં પણ કેટલાક લોકો તર્ક આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.