બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 PM, 21 February 2026
સનાતન ધર્મમાં કમૂરતાને અશુભ સમય માનવામાં આવે છે. તે એક મહિના સુધી ચાલે છે. તેના અશુભ હોવાને કારણે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. અધિક માસ વર્ષમાં બે વાર થાય છે. પહેલો અધિકમાસ માર્ચ કે એપ્રિલમાં અને બીજો નવેમ્બર કે ડિસેમ્બરમાં આવે છે. કેલેન્ડર મુજબ કમૂરતા ત્યારે શરૂ થાય છે જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય ગુરુ, ધન કે મીન રાશિમાં પ્રવેશ કરે છે.
ADVERTISEMENT
કમૂરતા દરમિયાન, ગૃહસ્થી સમારોહ, મુંડન અને લગ્ન જેવા તમામ શુભ પ્રસંગો મુલતવી રાખવામાં આવે છે. એવું મનાય છે કે જ્યારે સૂર્ય ગુરુ, ધન કે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનો પ્રભાવ ઘટે છે અને ગુરુના શુભ પ્રભાવો પણ ઘટે છે. શુભ પ્રસંગો માટે ખાસ કરીને લગ્ન માટે સૂર્ય અને ગુરુનું શુભ મહત્વ જરૂરી માનવામાં આવે છે. કમૂરતા માર્ચમાં શરૂ થવાનો છે. તો, ચાલો જાણીએ કે કમૂરતા પહેલા માર્ચમાં લગ્ન માટે કેટલી શુભ તિથિઓ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
સૂર્ય હાલમાં શનિની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યો છે. કેલેન્ડર મુજબ, સૂર્ય 15 માર્ચ, રવિવારના રોજ સવારે 01:08 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. તે સમયે સૂર્ય મીન રાશિમાંથી ગોચર કરશે. આ માર્ચ કમૂરતાની શરૂઆત થશે. આ કમૂરતા એક મહિના સુધી ચાલશે. ત્યાર બાદ સૂર્ય 14 એપ્રિલના રોજ સવારે 09:38 વાગ્યે મેષ રાશિમાં ગોચર કરશે જે કમૂરતાનો અંત દર્શાવે છે.

ADVERTISEMENT
2 માર્ચ - સોમવાર, 3 માર્ચ - મંગળવાર, 4 માર્ચ - બુધવાર, 7 માર્ચ - શનિવાર, 8 માર્ચ - રવિવાર, 9 માર્ચ - સોમવાર, 11 માર્ચ - બુધવાર, 12 માર્ચ - ગુરુવાર.
ADVERTISEMENT
અભિજીત મુહૂર્ત અને સંધ્યાકાળ લગ્ન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જેમાં શુભ કરણ- કિસ્તુઘ્ન, બાવ, બલવ, કૌલવ, તૈતિલ, ગર, વાણીજ મનાય છે. આ સિવાય તેમાં લગ્ન માટે શુભ તિથિઓમાં દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, અગિયારસ, તેરસનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લગ્ન માટે શુભ દિવસો: સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. શાસ્ત્રો અનુસાર, બ્રહ્મ મુહૂર્તને સૌથી સાત્વિક અને સકારાત્મક ઉર્જા આપનાર માનવામાં આવે છે. આથી જ ક પ્રાચીન સમયમાં, લગ્ન સવારે કે સૂર્યાસ્ત સમયે કરવામાં આવતા હતા.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.