બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / માર્ચમાં કમૂરતા બેસવાના છે, જાણો વિવાહના કેટલા મુહૂર્ત?

ધર્મ / માર્ચમાં કમૂરતા બેસવાના છે, જાણો વિવાહના કેટલા મુહૂર્ત?

Last Updated: 08:19 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમૂરતા અશુભ મનાય છે. જેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. પરંતુ અમુક તિથિઓ એવી છે જેમાં શુભ કાર્ય કરી શકાય છે.

સનાતન ધર્મમાં કમૂરતાને અશુભ સમય માનવામાં આવે છે. તે એક મહિના સુધી ચાલે છે. તેના અશુભ હોવાને કારણે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. અધિક માસ વર્ષમાં બે વાર થાય છે. પહેલો અધિકમાસ  માર્ચ કે એપ્રિલમાં અને બીજો નવેમ્બર કે ડિસેમ્બરમાં આવે છે. કેલેન્ડર મુજબ કમૂરતા ત્યારે શરૂ થાય છે જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય ગુરુ, ધન કે મીન રાશિમાં પ્રવેશ કરે છે.

કમૂરતા દરમિયાન, ગૃહસ્થી સમારોહ, મુંડન અને લગ્ન જેવા તમામ શુભ પ્રસંગો મુલતવી રાખવામાં આવે છે. એવું મનાય છે કે જ્યારે સૂર્ય ગુરુ, ધન કે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનો પ્રભાવ ઘટે છે અને ગુરુના શુભ પ્રભાવો પણ ઘટે છે. શુભ પ્રસંગો માટે ખાસ કરીને લગ્ન માટે સૂર્ય અને ગુરુનું શુભ મહત્વ જરૂરી માનવામાં આવે છે. કમૂરતા માર્ચમાં શરૂ થવાનો છે. તો, ચાલો જાણીએ કે કમૂરતા પહેલા માર્ચમાં લગ્ન માટે કેટલી શુભ તિથિઓ ઉપલબ્ધ છે.

  • માર્ચમાં કમૂરતા ક્યારે ?

સૂર્ય હાલમાં શનિની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યો છે. કેલેન્ડર મુજબ, સૂર્ય 15 માર્ચ, રવિવારના રોજ સવારે 01:08 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. તે સમયે સૂર્ય મીન રાશિમાંથી ગોચર કરશે. આ માર્ચ કમૂરતાની શરૂઆત થશે. આ કમૂરતા એક મહિના સુધી ચાલશે. ત્યાર બાદ સૂર્ય 14 એપ્રિલના રોજ સવારે 09:38 વાગ્યે મેષ રાશિમાં ગોચર કરશે જે કમૂરતાનો અંત દર્શાવે છે.

vtv app promotion
  • માર્ચ 2026 માં લગ્નના મુહૂર્ત

2 માર્ચ - સોમવાર, 3 માર્ચ - મંગળવાર, 4 માર્ચ - બુધવાર, 7 માર્ચ - શનિવાર, 8 માર્ચ - રવિવાર, 9 માર્ચ - સોમવાર, 11 માર્ચ - બુધવાર, 12 માર્ચ - ગુરુવાર.

  • લગ્નનો મુહૂર્ત નક્કી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

અભિજીત મુહૂર્ત અને સંધ્યાકાળ લગ્ન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જેમાં શુભ કરણ-  કિસ્તુઘ્ન, બાવ, બલવ, કૌલવ, તૈતિલ, ગર, વાણીજ મનાય છે. આ સિવાય તેમાં લગ્ન માટે શુભ તિથિઓમાં દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, અગિયારસ, તેરસનો  સમાવેશ થાય છે.

વધુ વાંચો : હોળાષ્ટકમાં દેખાય આ 4 સપના, તો સમજી જજો ખુલી ગયો છે તમારી પ્રગતિનો રસ્તો

લગ્ન માટે શુભ દિવસો: સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. શાસ્ત્રો અનુસાર, બ્રહ્મ મુહૂર્તને સૌથી સાત્વિક અને સકારાત્મક ઉર્જા આપનાર માનવામાં આવે છે. આથી જ ક પ્રાચીન સમયમાં, લગ્ન સવારે કે સૂર્યાસ્ત સમયે કરવામાં આવતા હતા.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanatan Dharma Muhurats Adhikamas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ