બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન

નેશનલ / મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન

Jinal Chauhan

Last Updated: 10:17 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉથી નવી દિલ્હી જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ પર ફિરોઝાબાદ નજીક પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોચનો કાચ તૂટી ગયો પરંતુ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

ફિરોઝાબાદ નજીક ગુરુવાર સાંજે શતાબ્દી એક્સપ્રેસ પર થયેલા પથ્થરમારાથી રેલવે તંત્રમાં ચિંતા ફેલાઈ હતી. જે કોચ પર પથ્થરમારો થયો હતો તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોચનું કાચ તૂટી ગયું હતું, પરંતુ કોઈ મુસાફરને ઇજા પહોંચી નહોતી. ટ્રેન ટૂંડલા જંક્શન પહોંચતા જ આરપીએફ, જીઆરપી અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું હતું. હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ટ્રેનના કોચનો કાચ તૂટ્યો

લખનઉથી નવી દિલ્હી જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ પર ગુરુવાર સાંજે ફિરોઝાબાદ નજીક અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં ટ્રેનના એક કોચનું કાચ તૂટી ગયો હતો. ખાસ વાત એ છે કે જે કોચને નિશાન બનાવાયો હતો તેમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા. જોકે, આ ઘટનામાં તેમને અથવા અન્ય કોઈ મુસાફરને કોઈ ઈજા પહોંચી નહોતી.

ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. ટ્રેન ટૂંડલા જંક્શન પહોંચતા જ રેલવે સુરક્ષા દળ (આરપીએફ), રાજકીય રેલવે પોલીસ (જીઆરપી) અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ ઘટનાસ્થળની માહિતી મેળવી અને કોચની તપાસ કરી હતી.સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોહન ભાગવતને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા નહોતા.

અધિકારીઓએ કોચમાં જઈને તેમની સાથે વાતચીત કરી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ટ્રેનને થોડા વિલંબ સાથે નવી દિલ્હી માટે રવાના કરવામાં આવી હતી.

vtv hiring

આ પણ વાંચોઃ નોકરી આપનારી 13 ફેક વેબસાઇટ્સ પર FBIનો સકંજો, બ્લોક કરાઇ આ કંપનીઓ

ઘટના બાદ આરપીએફ અને GRPની સંયુક્ત ટીમોએ સંબંધિત રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પથ્થરમારો કરનાર વ્યક્તિઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ઉપરાંત ટ્રેકની આસપાસ રહેતા લોકો અને સંભવિત સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ પથ્થરમારો કોણે અને શા માટે કર્યો તેની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. ટેકનિકલ પુરાવા અને સ્થાનિક માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઘટનાના કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shatabdi Express Firozabad Incident Mohan Bhagwat
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ