બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જાણીતા ચહેરાનું ટીમ ઇન્ડિયામાં સિલેક્શન, કનેક્શન રાહુલ દ્વવિડ સાથે

સ્પોર્ટ્સ / જાણીતા ચહેરાનું ટીમ ઇન્ડિયામાં સિલેક્શન, કનેક્શન રાહુલ દ્વવિડ સાથે

Pravin Joshi

Last Updated: 05:12 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ જગતમાં દ્રવિડ પરિવારનો વધુ એક સિતારો રાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે તૈયાર છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડની આગામી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય અંડર-19 વનડે ટીમમાં સત્તાવાર પસંદગી કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જૂનિયર સિલેક્શન કમિટીએ ગુરુવારે મોટો નિર્ણય લેતા આગામી શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અંડર-19 વનડે અને મલ્ટી-ડે (ટેસ્ટ) બંને ટીમોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. શરત શ્રીધરનની આગેવાની હેઠળની આ કમિટીએ વનડે ટીમમાં જે 15 સભ્યોની પસંદગી કરી છે, તેમાં સૌથી મોટું અને આકર્ષક નામ અન્વય દ્રવિડનું છે. અન્વય ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડનો નાનો પુત્ર છે. તેનો મોટો ભાઈ સમિત દ્રવિડ કર્ણાટક તરફથી અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે, પરંતુ દ્રવિડ પરિવારમાંથી નેશનલ લેવલે ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમની જર્સી પહેરનારો અન્વય પ્રથમ ખેલાડી બન્યો છે.

કેવી રીતે મળ્યો અન્વય દ્રવિડને ટીમ ઈન્ડિયામાં મોકો?

અન્વય દ્રવિડની આ પસંદગી કોઈ ભલામણથી નહીં પરંતુ તેના ઘરેલું ક્રિકેટના દમદાર પ્રદર્શનના આધારે થઈ છે. તાજેતરમાં રમાયેલી પ્રતિષ્ઠિત 'વીનુ માંકડ ટ્રોફી' માં અન્વયે કર્ણાટક અંડર-19 ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી અને ટીમને શાનદાર રમત સાથે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચાડી હતી. આ ટૂર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં તેણે કુલ 220 રન બનાવ્યા હતા. તેની સૌથી યાદગાર મેચ હિમાચલ પ્રદેશ સામેની હતી, જ્યાં ભારે દબાણ વચ્ચે રન ચેઝ કરતી વખતે અન્વયે અણનમ 82 રનની મજબૂત ઇનિંગ રમીને કર્ણાટકને રોમાંચક જીત અપાવી હતી. આ સિવાય તે અગાઉ અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પણ શાનદાર સદી ફટકારીને સેલેક્ટર્સની નજરમાં આવી ગયો હતો.

અંડર-19 વર્લ્ડ કપ 2028 નો માસ્ટર પ્લાન

નેશનલ સેલેક્ટર્સ આ શ્રીલંકા પ્રવાસને આગામી અંડર-19 વર્લ્ડ કપના નવા રાઉન્ડ અને રોડમેપની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. અન્વય દ્રવિડની ઉંમર હાલમાં માત્ર 17 વર્ષની છે, જેના કારણે તે આગામી 2 વર્ષ બાદ રમાનારા અંડર-19 વર્લ્ડ કપ 2028 માટે પણ પૂર્ણ રીતે પાત્ર (Eligible) રહેશે. આથી, શ્રીલંકાની મુશ્કેલ પિચો અને પરિસ્થિતિઓ પર મળનારો આ આંતરરાષ્ટ્રીય અનુભવ તેના ક્રિકેટ કરિયર અને ડેવલપમેન્ટ માટે અત્યંત મહત્વનો સાબિત થશે.

ભારતીય અંડર-19 ટીમ જૂનના અંતિમ સપ્તાહમાં શ્રીલંકા જવા રવાના થશે. જ્યાં મધ્ય પ્રદેશના યશવર્ધન સિંહ ચૌહાણ ટીમના કેપ્ટન હશે, જ્યારે લક્ષ્ય રાયચંદાનીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમમાં અન્વય દ્રવિડ અને રજત બઘેલના રૂપમાં બે મુખ્ય વિકેટકીપરોને સ્થાન મળ્યું છે. વનડે સિરીઝ પૂરી થયા બાદ મલ્ટી-ડે મેચો રમાશે, જેના માટે અલગ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારત પુરુષ અંડર-19 ટીમનો શ્રીલંકા પ્રવાસ પ્રવાસ (સંપૂર્ણ શેડ્યૂલ):

  • 1લી વનડે: 04 જુલાઈ 2026 (શનિવાર) – સવારે 10:00 વાગ્યે, હંબનટોટા
  • 2જી વનડે: 06 જુલાઈ 2026 (સોમવાર) – સવારે 10:00 વાગ્યે, હંબનટોટા
  • 3જી વનડે: 09 જુલાઈ 2026 (ગુરૂવાર) – સવારે 10:00 વાગ્યે, હંબનટોટા
  • 1લી મલ્ટી-ડે મેચ: 13–16 જુલાઈ 2026 (સોમવારથી ગુરૂવાર) – સવારે 10:00 વાગ્યે, ગૉલ
  • 2જી મલ્ટી-ડે મેચ: 20–23 જુલાઈ 2026 (સોમવારથી ગુરૂવાર) – સવારે 10:00 વાગ્યે, કોલંબો

વધુ વાંચો : ICC રેન્કિંગ્સમાં ટીમ ઇન્ડિયા ટોપ પર યથાવત, એન્યુઅલ અપડેટ બાદ પહેલા નંબરે

ટીમ ઈન્ડિયાની અંડર-19 વનડે ટીમ

સાગર વિર્ક, લક્ષ્ય રાયચંદાની (ઉપકેપ્ટન), યશવર્ધન સિંહ ચૌહાણ (કેપ્ટન), વિનીત વીકે, અર્જુન રાજપૂત, કુશાગ્ર ઓઝા, રજત બઘેલ (વિકેટકીપર), અન્વય દ્રવિડ (વિકેટકીપર), અનમોલજીત સિંહ, વુતકુરી યશવીર ગૌડ, રોહિત અનિલ યાદવ, શાવિન વી, કાવ્યા પરેશ પટેલ, મોહિત ઉલવા અને ઈશાન સૂદ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AnvayDravid RahulDravid TeamIndiaU19
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ