બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:09 PM, 10 June 2026
PM Modi: નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને 12 વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન પીએમ મોદીએ ઘણા એવા નિર્ણયો લીધા જેની સીધી અસર મધ્યમ વર્ગ પર પડી. આ નિર્ણયો મધ્યમ વર્ગ માટે કોઈ ભેટથી ઓછા નથી. ચાલો જાણીએ આવા જ કેટલાક નિર્ણયો વિશે.
ADVERTISEMENT
આવકવેરામાં રાહત
આવકવેરાના મોરચે મધ્યમ વર્ગને મોટી ખુશખબરી આપવામાં આવી છે. નવી કર વ્યવસ્થા હેઠળ, વાર્ષિક આવક (અંદાજે ₹12 થી ₹13 લાખ) પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ નિર્ણયથી નોકરીયાત લોકોને રાહત થઈ છે. આનાથી લાખો પરિવારોની બચતમાં વધારો થયો અને તેમના હાથમાં વધુ પૈસા આવ્યા, જે તેઓ રોકાણ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરિયાતો પર ખર્ચ કરી શકે છે.
ADVERTISEMENT
ઘરનું સ્વપ્ન સાકાર
અર્બન હેઠળ મધ્યમ વર્ગને પણ સસ્તામાં ઘર બનાવવાની સુવિધા મળે છે. આ યોજનાએ મધ્યમ વર્ગને વ્યાજ સબસિડી અને સરળ લોન સુવિધાઓ આપીને પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન પૂરું કરવામાં મદદ કરી. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે હાઉસ બિલ્ડીંગ એડવાન્સ (HBA) પરના વ્યાજ દરમાં ઘટાડા જેવા નિર્ણયોએ પણ ઘર ખરીદવાને વધુ સસ્તું બનાવ્યું છે.
ADVERTISEMENT
આઠમા પગાર પંચની જાહેરાત
કેન્દ્રીય કર્મચારીઓનો મોટો વર્ગ મધ્યમ વર્ગ હેઠળ આવે છે. આવી સ્થિતિમાં આઠમા પગાર પંચની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓ માટે ભેટ સમાન છે. આ અંતર્ગત પગાર પંચ 2027 સુધીમાં સરકારને પોતાની ભલામણો સોંપશે અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સામાજિક સુરક્ષા વિસ્તરણ
સામાજિક સુરક્ષા યોજનાઓનું વિસ્તરણ પણ મધ્યમ વર્ગ માટે રાહતનો વિષય છે. અટલ પેન્શન યોજના, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના જેવી યોજનાઓએ ઓછા પ્રિમિયમ પર કરોડો લોકોને વીમા અને પેન્શનનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.
ADVERTISEMENT
ડિજિટલ ઈન્ડિયા અને UPI ક્રાંતિ
ડિજિટલ ઈન્ડિયાથી મધ્યમ વર્ગને ઘણો ફાયદો થયો છે. આજે UPI વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે. નાના દુકાનદારોથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી દરેક લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. મધ્યમ વર્ગની રોકડ રાખવાની જરૂરિયાત ઘટી ગઈ છે અને મોબાઈલ ફોન દ્વારા ચૂકવણી સેકન્ડોમાં શક્ય બની છે. આનાથી બેંકિંગ સેવાઓ સુધી પહોંચ સરળ બની છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Weather / ચોમાસું આવી ગયું કે પછી ભ્રમ? હવામાન વિભાગના દાવા વચ્ચે વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી
GST અમલીકરણ અને કપાત
મોદી સરકારે 2017માં જીએસટી લાગુ કરીને ટેક્સ સિસ્ટમમાં સુધારો કર્યો હતો. આ પછી ગયા વર્ષે 22 સપ્ટેમ્બરથી સરકારે જીએસટી કટ અને સ્લેબમાં ફેરફાર કર્યા હતા. જેના કારણે રોજબરોજની ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. ખાસ કરીને ટર્મ અને લાઈફ ઈન્સ્યોરન્સ પરનો જીએસટી શૂન્ય થઈ ગયો. આનાથી વીમા તરફ મધ્યમ વર્ગનો ઝોક વધવાની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.