બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'ભુવાને મંચ પરથી દૂર રાખો', મહંત દેવનાથ બાપુએ કહ્યું-'ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો સારો પ્રચાર કરે છે'
Last Updated: 04:30 PM, 8 June 2026
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યા બાદ આ વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ સમગ્ર વિવાદ અને અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપ પર એકલધામ આશ્રમના મહંત યોગી દેવનાથ બાપુએ એક મહત્વનું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે ધર્મ અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખાને સમજાવતા મંચ પરથી કેટલીક કડક વાતો કહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહંત યોગી દેવનાથ બાપુએ જણાવ્યું છે કે, જે લોકો ધર્મના નામે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે, તેવા લોકોને ક્યારેય પણ પવિત્ર મંચ પર આવવા દેવા જોઈએ નહીં. ધર્મ એ આસ્થાનો વિષય છે, કુપ્રથાઓનો નહીં. તેથી, ધર્મના મંચ પરથી અધંશ્રદ્ધા ફેલાવતા લોકોને હંમેશા દૂર રાખવા જોઈએ જેથી ભક્તોની સાચી આસ્થાને કોઈ ઠેસ ન પહોંચે.
ADVERTISEMENT
તેમણે ખાસ કરીને દરબારો અને ધાર્મિક કાર્યક્રમોમાં જોવા મળતા દ્રશ્યો પર પ્રહાર કરતા કહ્યું કે, ધૂણવાવાળા ભુવાને મંચ પરથી તદ્દન દૂર રાખવા જોઈએ. આવા તત્વો ધર્મના નામે ભય અને ભ્રમ ઉભો કરે છે. જો કે, આ સાથે જ તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં પણ વાત કરી હતી. યોગી દેવનાથ બાપુએ સ્પષ્ટ કર્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો સારો પ્રચાર કરે છે અને સનાતન ધર્મને આગળ ધપાવી રહ્યા છે
આ પણ વાંચો : વડોદરામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત
ADVERTISEMENT
પરંતુ મંચની ગરિમા જળવાઈ રહેવી ખૂબ જરૂરી છે. સાચા ધર્મ પ્રચારની આડમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન મળવું જોઈએ તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.