બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:20 AM, 8 June 2026
કંગના રાણાવતની આગામી ફિલ્મ "ભારત ભાગ્ય વિધાતા"માં તે એક નર્સનો રોલ કરશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને નર્સોના ડ્રેસ કોડ વિશે ચર્ચા કરી હતી. જેમાં તેને કહ્યું કે હાલના નર્સ યુનિફોર્મ બ્રિટિશ પ્રભાવોને પ્રતિબિંબિત કરે છે અને તેને રીડિઝાઇન કરવાની જરૂર છે.
ADVERTISEMENT
મીડિયા સાથેની એક મુલાકાતમાં કંગનાએ કહ્યું કે, ડોકટરોના કપડાં યોગ્ય અને ફ્લેક્સિબલ છે પરંતુ નર્સો હજુ પણ પરંપરાગત યુનિફોર્મ સ્ટાઇલનું પાલન કરે છે. કંગનાએ કહ્યું કે, "મારું માનવું છે કે બ્રિટિશ નર્સો માટેનો ડ્રેસ કોડ હજુ પણ લાગુ પડે છે. ડોકટરોની જેમ નર્સો જે ઇચ્છે તે પહેરી શકે છે આથી તેમને એક કોડ આપવામાં આવે છે. પરંતુ આપણી નર્સો ભલે તે ઠંડી હોય કે ગરમી તે વિદેશી લુકમાં હોય છે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. પરંતુ આ ફિલ્મમાં અમે પ્રામાણિકતા અને ગૌરવ સાથે કામ કર્યું છે. આકાર અને સાઈઝ કોઈ વાંધો નથી તમારો યુનિફોર્મ તમારી ફરજ છે." કંગનાએ સમજાવ્યું કે તે શા માટે માને છે કે વર્તમાન ડિઝાઇનમાં પશ્ચિમી પ્રભાવ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક જગ્યાએ કંગનાએ કહ્યું, "આપણે ઘણીવાર હીરોઇઝમને સેલિબ્રેટ કરીએ છીએ પરંતુ અસલી શક્તિ મૌનમાં રહેલી છે. ભારત ભાગ્ય વિધાતા શક્તિ બલિદાન, માનવતા અને એકતાની એક અનટોલ્ડ સ્ટોરી છે. તે દેશભક્તિ છે જ્યાં ડ્યુટી એક્શન બની જાય છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આ ફિલ્મનો હિસ્સો બનવાનો મોકો મળ્યો અને હવે હું રાહ જોઈ રહી છું કે તમે બધા આ મુવી જોવો."
ADVERTISEMENT
ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ મનોજ ટાપરિયા દ્વારા ડાયરેક્ટ અને લખાયેલ છે. કંગના સિવાય આ ફિલ્મમાં ગિરિજા ઓક, સ્મિતા તાંબે, અમૃતા નામદેવ, એશા દે, આશા શેલાર, આદિત્ય મિશ્રા અને ઝાહિદ ખાન પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.