બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ચમત્કાર કે સત્ય? રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાયલને સ્ટેજ પર બોલાવીને તેની હકીકત જણાવી, ખોલી હતી પરચી
Last Updated: 05:19 PM, 8 June 2026
રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી એક મહિલાને સ્ટેજ પર બોલાવવાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. મહિલાનો દાવો છે કે બાબાએ માત્ર તેના ડ્રેસ કોડના આધારે તેને ઓળખીને સ્ટેજ પર બોલાવી હતી અને તેના પરિવાર વિશેની અનેક વિગતો પણ જણાવી હતી.
ADVERTISEMENT

સતત બે દિવસથી બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપી
ADVERTISEMENT
મહિલાએ જણાવ્યું કે તે સતત બે દિવસથી બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપી રહી હતી, પરંતુ તેનો વારો આવ્યો નહોતો. ત્રીજા દિવસે તેણે લાલ-મરૂન રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તેના નાના પુત્રએ બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું. બાબાએ આ ડ્રેસ કોડના આધારે તેને સ્ટેજ પર બોલાવી હતી.

ADVERTISEMENT
બાબાએ તેના પરિવારની અનેક વ્યક્તિગત બાબતોનું વર્ણન કર્યું
મહિલાના જણાવ્યા અનુસાર, સ્ટેજ પર બોલાવ્યા બાદ બાબાએ તેના પરિવારની અનેક વ્યક્તિગત બાબતોનું વર્ણન કર્યું હતું. બાબાએ જણાવ્યું હતું કે તેમના પરિવારે તાજેતરમાં નવું ઘર ખરીદ્યું છે. સાથે જ મહિલાના પતિના ધંધા-રોજગાર સંબંધિત તેજી-મંદી વિશે પણ વાત કરી હતી.
ADVERTISEMENT

મહિલાએ સ્ટેજ પર જ બાબાને રાખડી બાંધી
ADVERTISEMENT
આ ઉપરાંત બાબાએ એ પણ જણાવ્યું કે મહિલા તેમના માટે રાખડી લઈને આવી છે. બાદમાં મહિલાએ સ્ટેજ પર જ બાબાને રાખડી બાંધી હતી. આ સમગ્ર ઘટનાએ હાજર ભક્તોમાં આશ્ચર્યનું વાતાવરણ સર્જ્યું હતું.
આ પણ વાંચોઃ ઉઘડતી નિશાળે જ મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન ભાડામાં કરાયો મોટો વધારો, જાણો કેટલો
ADVERTISEMENT
ત્રીજા દિવસે મને ડ્રેસ કોડના આધારે બોલાવવામાં આવી
ઘટના અંગે મહિલાએ કહ્યું, "હું સતત બે દિવસથી બાબાના દરબારમાં જતી હતી, પરંતુ મારો વારો આવતો નહોતો. ત્રીજા દિવસે મને ડ્રેસ કોડના આધારે બોલાવવામાં આવી. બાબાએ મારા પરિવારની તમામ હકીકતો જણાવી હતી. અમારા પરિવાર વિશે આટલી બધી વાતો કોઈ અજાણ વ્યક્તિ જાણે, તે મારા માટે પ્રથમ વખતનો અનુભવ હતો."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.