બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદમાં આજે અને કાલે પાણીકાપ! સાબરમતી-નવરંગપુરા સહિત 7 વોર્ડમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત
Last Updated: 08:00 AM, 18 August 2026
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં મુખ્ય પાણીની લાઈનમાં થયેલા મોટા લીકેજના સમારકામ માટે AMC દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનમાં પાણી પહોંચાડતી વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે લીકેજ થયું છે. આ લીકેજના સમારકામ માટે 18 ઓગસ્ટે શટડાઉન લેવામાં આવશે. આ કામગીરીને કારણે 18 ઓગસ્ટની સાંજે કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે 19 ઓગસ્ટે સવાર અને સાંજનો પુરવઠો ચાલુ રહેશે પરંતુ પાણીનો જથ્થો ઓછો હોવાથી ઓછા દબાણથી અથવા મર્યાદિત પ્રમાણમાં પાણી મળી શકે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ અગાઉથી પાણીનો સંગ્રહ કરી રાખવો જરૂરી છે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગના જણાવ્યા અનુસાર કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનને પાણી પૂરું પાડતી 1600 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે મોટું લીકેજ થયું છે. મુખ્ય પાણીની લાઈનમાં લીકેજના કારણે પાણીનો બગાડ થવાની સાથે પુરવઠા વ્યવસ્થા પર પણ અસર થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા તાત્કાલિક ધોરણે લીકેજનું સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમારકામ માટે 18 ઓગસ્ટે શટડાઉન લેવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વેસ્ટર્ન ટ્રંક મેઈન પર આધારિત પાણી વિતરણ વ્યવસ્થાને કારણે પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત થશે. તેમાં સાબરમતી, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ વોર્ડ, નવરંગપુરા, પાલડી અને વાસણા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં રહેતા લોકોએ 18 ઓગસ્ટની સાંજના પાણી પુરવઠાને લઈને ખાસ સાવચેતી રાખવી પડશે. સમારકામની કામગીરી દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેવાની હોવાથી ઘરવપરાશ માટે જરૂરી પાણી અગાઉથી ભરી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
18 ઓગસ્ટ 2026ના રોજ કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન આધારિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ દરમિયાન મુખ્ય લાઈનમાં થયેલા લીકેજનું સમારકામ કરવામાં આવશે. સાંજના સમયે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. પાણી પુરવઠો બંધ રહેવાના કારણે દૈનિક ઘરવપરાશના કામમાં મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવો વધુ યોગ્ય રહેશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ અને CNG નહીં મળે, ગુજરાતના આ શહેરમાં લાગુ પડાયો નિયમ
ADVERTISEMENT
19 ઓગસ્ટે સવાર અને સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે નહીં. જોકે ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણથી અથવા મર્યાદિત પ્રમાણમાં પાણી આપવામાં આવી શકે છે.સમારકામની કામગીરી બાદ પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. તેથી 19 ઓગસ્ટે પણ લોકોને પાણીના પુરવઠામાં સામાન્ય દિવસોની સરખામણીમાં ઘટાડો જોવા મળી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોને અગાઉથી જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 18 ઓગસ્ટની સાંજે પાણી પુરવઠો બંધ રહેવાનો હોવાથી નાગરિકોએ અગાઉથી તૈયારી રાખવી જરૂરી છે.AMCએ સમારકામની કામગીરી દરમિયાન નાગરિકોને તંત્રને સહકાર આપવા પણ વિનંતી કરી છે. મુખ્ય પાણીની લાઈનમાં થયેલા લીકેજનું સમારકામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો તબક્કાવાર સામાન્ય થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.