બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઓમાનમાં USના હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોનું મોત, મૃતદેહો મળતા શોક

નેશનલ / ઓમાનમાં USના હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોનું મોત, મૃતદેહો મળતા શોક

Nirav Kumar

Last Updated: 01:39 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા કોન્ફ્લિક્ટના લીધે હવે અમેરિકાના અટેકનો શિકાર ભારતીય નાગરિકો બન્યા છે. જેમાં અમેરિકાના હુમલાથી 3 ભારતીય નાગરિકોના મોત થયા છે. ગલ્ફ ઓફ ઓમાનમાં એક ઓઇલ ટેન્કર પર હુમલો કરવામાં આવતા તેમના મોત થયા છે.

અમેરિકાની સેનાના અટેકથી 3 ભારતીય નાગરિકોના મોત થયા છે. મિડલ ઈસ્ટમાં કોન્ફ્લિક્ટના કારણે ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા 'સેટેબેલો' (MT Settebello) ટેન્કર પર હુમલા કરવામાં આવ્યા હતા. આ અટેકમાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. હવે આ ખબરને કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલે પણ કંફર્મ કરી છે.

  • અમેરિકન અટેકમાં 3 ભારતીયના મોત

જ્યારે ગલ્ફ ઓફ ઓમાનમાંથી પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર 'સેટેબેલો' પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અમેરિકા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાના દાવા મુજબ આ જહાજે તેમના બ્લૉકેડનું ઉલ્લંઘન કર્યું હતું આથી તેની પર અટેક કરવામાં આવ્યો હતો. અમેરિકાના આ અટેક બાદ જહાજના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી. આથી લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

vtv hiring
  • કેન્દ્રીય મંત્રીનું નિવેદન

હવે આ અંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, "MT Settebello પર થયેલી આ દુઃખદ ઘટના વિશે જાણીને ખૂબ જ આઘાત લાગ્યો છે. જે ત્રણ ભારતીય ખલાસીઓ ગુમ હતા તેમના મૃતદેહ મળી આવ્યા છે અને તેમની ઓળખ થઈ ગઈ છે. આ આપણી મેરીટાઇમ ફેમિલી માટે એક મોટી ખોટ છે. મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્તોની સાથે મજબૂત રીતે ઉભી છે અને તેમના સંબંધીઓને મદદ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ અટેકમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને જહાજ પરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલ તમામને હવે ભારત પરત લાવવા માટેની પ્રોસેસ શરૂ થઇ ગઈ છે. આ સિવાય મૃતકોના પાર્થિવ દેહને તુરંત ભારત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

  • ભારતે ઘટનાની કરી નિંદા

ભારતે આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે યુએસ નેવી દ્વારા 24 ભારતીયો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ક્ષેત્રમાં શિપિંગ પરના હુમલા ખૂબ જ ચિંતાજનક છે અને આ રીઝનમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. અમે તણાવ ઓછો કરવા માટે અમારી માંગને રીટરેટ કરીએ છીએ." આ ઘટના બાદ ભારતે દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'એફેયર્સ જેસન મીક્સને બોલાવી વિરોધ નોંધાવ્યો છે.

વધુ વાંચો : મણિપુરમાં ભારે બબાલ, 6 લોકોની ઘાતકી હત્યા, લાશો જોઈને ધ્રુજી ઉઠ્યા લોકો

  • યુએસનો જવાબ

એવામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે બાદમાં જહાજ પરના હુમલાને સ્વીકારતા કહ્યું હતું કે, આ જહાજે ઈરાનથી ઓઇલ પરિવહન કરવાનો પ્રયાસ કરીને ઈરાની બંદરો પર ચાલી રહેલા યુએસ નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું. આથી એક યુદ્ધ વિમાને ઓમાનના ગલ્ફમાં ટેન્કર પર અટેક કર્યો હતો. એ લોકો અમેરિકન ફોર્સના નિર્દેશોનું પાલન નહતા કરી રહ્યા આથી અટેક કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gulf of Oman Oil Tanker Indian Citizens
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ