બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મણિપુરમાં ભારે બબાલ, 6 લોકોની ઘાતકી હત્યા, લાશો જોઈને ધ્રુજી ઉઠ્યા લોકો

ક્રાઇમ / મણિપુરમાં ભારે બબાલ, 6 લોકોની ઘાતકી હત્યા, લાશો જોઈને ધ્રુજી ઉઠ્યા લોકો

Priykant Shrimali

Last Updated: 08:53 AM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manipur Violence : મણિપુરમાં ફરી હિંસાનો વિસ્ફોટ: અપહરણ કરાયેલા 6 લોકોના મૃતદેહ મળતા તણાવ ચરમસીમાએ

Manipur Violence : મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા જાતિય અને સામાજિક તણાવ વચ્ચે ફરી એકવાર હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. કાંગપોક્પી જિલ્લામાંથી અપહરણ કરાયેલા છ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ સર્જાયું છે. મૃતદેહોની હાલત જોઈ સ્થાનિક લોકો અને સંબંધીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.

મહત્વનું છે કે,સુરક્ષા એજન્સીઓએ આ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મણિપુર પોલીસ, આસામ રાઇફલ્સ અને CRPFની સંયુક્ત ટીમોએ સતત 24 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અનેક વિસ્તારોમાં તપાસ બાદ છ મૃતદેહો મળી આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. માનવામાં આવે છે કે, આ તમામ લોકોનું અપહરણ 13 મેના રોજ કરવામાં આવ્યું હતું.

આ તરફ ઘટના બાદ નાગા સમુદાયની અગ્રણી સંસ્થા યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)એ કડક વલણ અપનાવ્યું છે. સંગઠને કેટલાક વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન કર્યું છે તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેનને પદ પરથી દૂર કરવાની માંગ ઉઠાવી છે. યુએનસીનો આક્ષેપ છે કે, સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી છે અને દોષિતો સામે પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી.

સંગઠન દ્વારા સરકાર અને કેટલાક કુકી બળવાખોર જૂથો વચ્ચે થયેલા ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ’ (SoO) કરારને પણ રદ કરવાની માંગ કરવામાં આવી છે. યુએનસીનું માનવું છે કે આવા કરારો હોવા છતાં હિંસક પ્રવૃત્તિઓ યથાવત રહેતાં સામાન્ય નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. મળેલા મૃતદેહોની સ્થિતિ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. યુએનસીએ દાવો કર્યો છે કે મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા છે અને તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહોનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

આ સમગ્ર ઘટનાની શરૂઆત 13 મેના રોજ થયેલા એક હુમલાથી થઈ હતી, જેમાં થાડોઉ સમુદાયના ત્રણ ચર્ચ નેતાઓની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બે પાદરીઓ સહિત અનેક લોકોનું અપહરણ થયું હતું. વિવિધ અહેવાલો મુજબ, કાંગપોક્પી અને સેનાપતિ જિલ્લાઓમાં કુલ 44 નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે, મહિલાઓ અને બાળકો સહિત કેટલાક લોકોને બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સસ્તું થશે પેટ્રોલ! ઈથેનોલવાળા પેટ્રોલ પર હવે નહીં લાગે એક્સાઈઝ ડ્યુટી, સરકારનું મોટું એલાન

ઘટનાએ માત્ર મણિપુર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં ચિંતા ઊભી કરી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ આ હત્યાકાંડને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે શાંતિ અને સમાધાન માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે આવી ઘટના બનવી અત્યંત દુઃખદ છે. તેમના મત અનુસાર, હિંસા કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી અને સ્થાયી શાંતિ માટે તમામ પક્ષોએ સંવાદ અને પરસ્પર વિશ્વાસનો માર્ગ અપનાવવો જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manipur Violence UNC SoO Agreement
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ