બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 10 June 2026
પશ્ચિમ એશિયા અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ હવે દરિયાઈ વેપાર માર્ગો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. આગામી 10 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એક મોટા કમર્શિયલ ઓઇલ અને કેમિકલ ટેન્કર જહાજ પર સૈન્ય હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. આ જહાજ પર કામ કરતા કુલ 28 સભ્યોમાંથી પ્રચંડ બહુમતી એટલે કે 24 સભ્યો ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે અને ભારતના 3 નાગરિકો દરિયામાં લાપતા થયા છે, જેના કારણે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
ADVERTISEMENT
રોયટર્સના અહેવાલ મુજબ, બ્રિટિશ મેરિટાઇમ સિક્યુરિટી ગ્રુપ એમ્બ્રેએ આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો સંભવતઃ ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટે ચલાવવામાં આવી રહેલા અમેરિકી સૈન્ય ઓપરેશનનું સીધું પરિણામ હોઈ શકે છે. અગાઉ પણ આવા જહાજોના ક્રૂ મેમ્બર્સને સત્તાવાર ચેતવણી આપવામાં આવી હતી કે, હુમલાની સ્થિતિમાં તેઓ જહાજના પાછળના ભાગને બદલે આગળના ભાગ પર એકઠા થાય. મેરિટાઇમ સિક્યુરિટી સાથે જોડાયેલા અન્ય સંરક્ષણ સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે જહાજ પર અમેરિકી મિસાઈલથી જ હુમલો કરવામાં આવ્યો હોવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ અંગે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ADVERTISEMENT
India condemns attack on commercial vessel off Oman coast; 21 Indian crew rescued, 3 reportedly missing
— ANI Digital (@ani_digital) June 10, 2026
Read @ANI Story | https://t.co/gKYGlgMk4T #Oman #Indian #MEA #24crewmembers #Settebello pic.twitter.com/LNgzS45uag
ADVERTISEMENT
આ આંતરરાષ્ટ્રીય હુમલામાં ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાતા ભારતે અત્યંત આક્રમક રાજદ્વારી વલણ અપનાવ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી નાગરાજ નાયડુએ તાત્કાલિક ધોરણે ભારતમાં અમેરિકાના 'ચાર્જ ડી અફેર્સ' જેસન મીક્સને સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો હતો. ભારતે અમેરિકી રાજદ્વારી સમક્ષ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરીને સખત વિરોધ પત્ર સોંપ્યો હતો.
MEA summons US Chargé d’Affaires Jason Meeks to protest attack on commercial vessel off coast of Oman
— ANI Digital (@ani_digital) June 10, 2026
Read @ANI Story | https://t.co/5WmplFViHt #US #Oman #MEA pic.twitter.com/9H4geA5bhA
ADVERTISEMENT
યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, 'પલાઉ' દેશમાં રજિસ્ટર્ડ થયેલું અને પલાઉનો ધ્વજ ધરાવતું આ કેમિકલ/ઓઇલ પ્રોડક્ટ ટેન્કર જેનું નામ 'સેટેબેલો' છે, તે ઓમાનના સોહર બંદરથી અંદાજે 20 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વ દિશામાં હતું, ત્યારે જ તેના એન્જિન રૂમમાં ભયાનક આગ લાગવાની અને બ્લાસ્ટ થવાની માહિતી મળી હતી. બ્રિટિશ મેરિટાઇમ રિસ્ક મેનેજમેન્ટ ગ્રુપ વેનગાર્ડના જણાવ્યા અનુસાર, જહાજ દ્વારા મોકલવામાં આવેલી કટોકટીની કૉલ પર ઓમાનની રોયલ નૌસેનાએ તાત્કાલિક યુદ્ધના ધોરણે મદદ મોકલી હતી. જહાજ પરના 24 ભારતીયોમાંથી 21 ભારતીયોને સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે બાકીના 3 ગુમ થયેલા ભારતીયો માટે ઓમાન સત્તાવાળાઓ સાથે મળીને મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસ સતત સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યું છે. શિપ-ટ્રેકિંગ પ્લેટફોર્મ 'મરીન ટ્રાફિક' અનુસાર, આ ટેન્કર આંશિક રીતે ઓઇલથી ભરેલું હતું અને છેલ્લે 1 જૂનના રોજ ઓમાનના તટ નજીક ટ્રેક થયું હતું.
ADVERTISEMENT
આ હુમલાને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા મોટા યુદ્ધ અને અસ્થિરતા સાથે જોડતા ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર સતત થઈ રહેલા હુમલા અત્યંત ચિંતાજનક છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક યુદ્ધવિરામ અને રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક વેપાર માર્ગો અને સામાન્ય નાગરિકોના જહાજોને નિશાન બનાવવાનું તાત્કાલિક બંધ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું કડક પાલન કરીને જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Weather / ચોમાસું આવી ગયું કે પછી ભ્રમ? હવામાન વિભાગના દાવા વચ્ચે વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી
નોંધનીય છે કે, અમેરિકાએ ગત 13 એપ્રિલથી ઈરાન સાથે જોડાયેલા શિપિંગ નેટવર્ક અને જહાજોની અવરજવર પર કડક પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું છે, કારણ કે ઈરાને વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાયના મુખ્ય માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર ખૂબ જ મર્યાદિત કરી દીધી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડે તાજેતરમાં 8 જૂનના રોજ આપેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકી સેનાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન ન કરનારા 7 જહાજોને દરિયામાં જ અટકાવી દીધા હતા, જ્યારે નિયમોનું પાલન કરનારા 134 જહાજોના રૂટ ડાયવર્ટ કર્યા હતા અને માનવતાવાદી સહાય લઈ જતા 42 જહાજોને સુરક્ષિત જવા દીધા હતા. આ જ ઓપરેશન અંતર્ગત હવે 'સેટેબેલો' જહાજ પણ ભોગ બન્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.