બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસકુમાર રમેશની હાલમાં કંઇક આવી છે સ્થિતિ

Ahmedabad plan crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસકુમાર રમેશની હાલમાં કંઇક આવી છે સ્થિતિ

Nidhi Panchal

Last Updated: 06:21 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એર ઈન્ડિયાની AI-171 ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તેના એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમાર રમેશ માટે આ દુર્ઘટનાની યાદો આજે પણ તાજી છે. ભાઈને ગુમાવવાનું દુઃખ, માનસિક આઘાત અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેઓ હજુ પણ સામાન્ય જીવન તરફ પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે

અમદાવાદમાં એર ઈન્ડિયાની AI-171 ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આ ભયાનક અકસ્માતના એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમાર રમેશ માટે જાણે સમય હજુ પણ ૧૨ જૂન, ૨૦૨૫ના દિવસ પર જ અટકી ગયો છે. અકસ્માતમાંથી ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસકુમાર આજે પણ શારીરિક પીડા, માનસિક આઘાત, આર્થિક મુશ્કેલીઓ અને પોતાના ભાઈના વિયોગના દુઃખ સામે લડી રહ્યા છે.

plan-crash

રહેવા માટે 15 સપ્ટેમ્બરે બ્રિટન

37 વર્ષીય વિશ્વાસકુમાર દુર્ઘટના બાદ સારવાર માટે અને પોતાના પરિવાર સાથે રહેવા માટે 15 સપ્ટેમ્બરે બ્રિટન પરત ફર્યા હતા. તે સમયે મીડિયાએ તેમને 'વિશ્વના સૌથી નસીબદાર વ્યક્તિ' તરીકે રજૂ કર્યા હતા, પરંતુ તેમના માટે આ બચાવ કોઈ ખુશીનો વિષય નથી. તેમના નાના ભાઈ અજય રમેશનું પણ આ દુર્ઘટનામાં મોત થયું હતું. વિશ્વાસકુમાર માત્ર એટલા માટે બચી ગયા હતા કે તેમની બેઠક 11A ઈમરજન્સી એક્ઝિટની બાજુમાં હતી. વિશ્વાસકુમાર કહે છે, મારા માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે મારો ભાઈ હવે મારી સાથે નથી. દુર્ઘટનાની વરસી એ ખોટને ફરી જીવંત કરી દે છે. હું જીવિત છું તે બદલ આભારી છું, પરંતુ એ દિવસે મારા જીવનનો એક ભાગ હંમેશ માટે ખોવાઈ ગયો.

વિશ્વાસકુમાર પોતાના રૂમમાંથી બહાર પણ નીકળતા

દુર્ઘટના પછીના મહિનાઓમાં વિશ્વાસકુમાર પોતાના રૂમમાંથી બહાર પણ નીકળતા નહોતા. પરિવારજનો કે મિત્રો સાથે વાતચીત કરવાનું પણ ટાળતા હતા. એક વર્ષ બાદ પણ તેમની સ્થિતિ સંપૂર્ણપણે સુધરી નથી. તેઓ હજુ પોતાના પાંચ વર્ષના પુત્ર દિવાંગને શાળાએ મૂકવા જઈ શકતા નથી કે સામાન્ય ખરીદી માટે પણ બહાર નીકળી શકતા નથી. તેમ છતાં હવે સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. ફ્લેશબેક અને માનસિક આઘાત હજુ પણ પીછો છોડતા નથી, પરંતુ હવે તેઓ પરિવાર સાથે થોડો વધુ સમય વિતાવી રહ્યા છે. લેસ્ટરના બિઝનેસ સલાહકાર અને હિન્દુ સમાજના આગેવાન સંજીવ પટેલ છેલ્લા એક વર્ષથી વિશ્વાસકુમારને માર્ગદર્શન આપી રહ્યા છે. કાનૂની પ્રક્રિયા, તબીબી સહાય, દસ્તાવેજી કાર્યવાહી અને મીડિયાથી રક્ષણ જેવી બાબતોમાં તેઓ નિઃશુલ્ક મદદ કરી રહ્યા છે.

આશરે રૂ. 25 લાખથી વધુ

સંજીવ પટેલના જણાવ્યા મુજબ વિશ્વાસકુમારને અત્યાર સુધી એર ઈન્ડિયા તરફથી 21,500 પાઉન્ડ (આશરે રૂ. 25 લાખથી વધુ)ની વચગાળાની સહાય મળી છે. તાજેતરમાં એર ઈન્ડિયા અને ટાટા ગ્રૂપના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં પરિવારને વધુ આર્થિક સહાય અંગે ચર્ચા થઈ હતી. એર ઈન્ડિયાએ હાલ માટે તેમના ખાનગી તબીબી ખર્ચ ઉઠાવવાની પણ સંમતિ આપી છે.

આ પણ વાંચો : ''એવું લાગે કે હમણાં દરવાજેથી અંદર આવશે'', કચ્છના એ પરિવારનો તો જાણે સમય જ થંભી ગયો

અમદાવાદમાં એર અકસ્માત તપાસ આ વર્ષે ૨૯ માર્ચે વિશ્વાસકુમારે અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમના વકીલ પૉલ મેકક્લોરીએ જણાવ્યું હતું કે તપાસના દરેક પાસાનું વિશ્લેષણ કરવામાં આવશે અને જો કોઈ પક્ષની બેદરકારી કે ખામી સામે આવશે તો તેની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. બીજી તરફ એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે AI-171 દુર્ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિને સંવેદનાપૂર્વક સહાય પહોંચાડવા માટે કંપની પ્રતિબદ્ધ છે. વિશ્વાસકુમાર રમેશ અને તેમના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં રહીને જરૂરી સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે. એક વર્ષ પહેલાં વિમાનના સળગતા કાટમાળમાંથી બહાર નીકળેલા વિશ્વાસકુમાર રમેશ આજે જીવિત તો છે, પરંતુ તેમના પોતાના શબ્દોમાં કહીએ તો "મારું એક અસ્તિત્વ એ દિવસે હંમેશ માટે ખોવાઈ ગયું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Vishwashkumar Ramesh AI-171 Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ