બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CNG ડીલર એસોસિએશન લડી લેવાના મૂડમાં, બુધવારે આ 2 જિલ્લાના CNG પંપ રહેશે બંધ
Last Updated: 10:59 PM, 16 August 2026
બનાસકાંઠા જિલ્લામાં CNG વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. CNG ડીલર એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં 19 ઓગસ્ટ બુધવારે બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારના તમામ CNG પંપ 24 કલાક માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
CNG ડીલર એસોસિએશને 15 ઓગસ્ટ સુધીનું આપ્યું હતું અલ્ટીમેટમ
CNG ડીલર એસોસિએશને કંપની સમક્ષ લાંબા સમયથી વિવિધ માગણીઓ રજૂ કરી હતી. તેમાં ખાસ કરીને CNG ડીલરોનું કમિશન વધારવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી હતી. એસોસિએશને આ મુદ્દે કંપનીને 15 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.
ADVERTISEMENT
પ્રશ્નોનો ઉકેલ ન આવતા સીએનજી ડીલર એસોસિએશનનો નિર્ણય
ADVERTISEMENT
જોકે, નક્કી કરેલી સમયમર્યાદા સુધી કોઈ ઉકેલ ન આવતા જિલ્લા CNG ડીલર એસોસિએશને બંને જિલ્લામાં CNG પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે 19 ઓગસ્ટે CNG પર નિર્ભર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ ફિલ્મી સ્ટાઈલમાં કાર ચેઝિંગ, પોલીસે પકડ્યા આરોપીઓ, 64.42 લાખના પોષડોડા ઝડપાયા
ADVERTISEMENT
માંગણીઓનો ઉકેલ ન આવે તો CNG પંપ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે
એસોસિએશનના જણાવ્યા મુજબ, બુધવાર સુધીમાં ડીલરોની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં CNG પંપ અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જેના કારણે બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં CNG વાહનચાલકો માટે વધુ મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.