બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી, ચારધામ યાત્રાથી પરત ફરેલ મહિલા પોઝિટિવ !
Last Updated: 11:04 AM, 12 June 2026
Gandhinagar Corona Virus : એક સમયે સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાયરસ હવે લગભગ ભૂતકાળની બાબત બની ગયો હતો. લોકો ફરીથી સામાન્ય જીવનશૈલી તરફ વળી ગયા હતા અને જાહેર જીવનમાં પણ કોરોનાનો ભય લગભગ સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ ફરી સક્રિય બન્યું છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા તાજેતરમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા પૂર્ણ કરીને પરત ફરી હતી. યાત્રા બાદ તેમને શરદી, ઊધરસ અને તાવ જેવા લક્ષણો અનુભવાયા હતા. શરૂઆતમાં સામાન્ય વાયરલ ઇન્ફેક્શન હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તબિયત વધુ ખરાબ થતાં પરિવારજનોએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વાયરસની દસ્તક !
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2026
ગાંધીનગરમાં કોરોનાનો કેસ નોંધાયો, ચારધામની યાત્રાથી પાછી
ફરેલી 51 વર્ષીય મહિલા પોઝિટિવ, શરદી-તાવના લક્ષણો દેખાયા
હતા, ફરી કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક#COVID19 #Coronavirus #Gandhinagar #Gujarat #HealthAlert #CharDhamYatra… pic.twitter.com/UI9oH84cZ8
તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સરકારી આરોગ્ય પ્રોટોકોલ મુજબ મહિલાને વધુ સારવાર અને નિરીક્ષણ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં ભર્યા હતા. મહિલાના સંપર્કમાં આવેલા પરિવારજનો અને નજીકના લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ન હોવાનું સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ADVERTISEMENT
14 મહિના બાદ પાટનગરમાં કોરોનાની એન્ટ્રી
ગાંધીનગરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો કોઈ સક્રિય કેસ નોંધાયો ન હતો. એપ્રિલ 2025 બાદ શહેર કોરોના મુક્ત બન્યું હતું. હવે લાંબા વિરામ બાદ ફરી એકવાર સંક્રમણનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. બહારગામ કે અન્ય રાજ્યોમાંથી પ્રવાસ કરીને પરત ફરતા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : 160થી વધુ પીડિત પરિવારોના વકીલોની નજર AAIBના રિપોર્ટ પર!
ADVERTISEMENT
શું હોય છે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ?
ADVERTISEMENT
કોરોનાથી બચવા માટેના ઉપાયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.