બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અ'વાદ પ્લેન ક્રેશમાં ભોગ બનનાર આકાશની નિશાની હજી ત્યાંની ત્યાં, આંસુ ભરી આંખે પરિવાર જોઈ રહ્યો છે રાહ!
Last Updated: 12:04 PM, 12 June 2026
૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની એઆઈ-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ મેઘાણીનગરના પટણી પરિવાર માટે સમય જાણે ત્યાં જ થંભી ગયો છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર 13 વર્ષીય આકાશ પટણીનાં અસ્થિ આજે પણ ઘરના દરવાજાની બારી પાસે ટાંગેલાં છે અને પરિવાર હવે તેને વારાણસી લઈ જઈ ગંગામાં વિસર્જિત કરવાની તૈયારી કરી રહ્યો છે.
ADVERTISEMENT
દુર્ઘટનાના દિવસે આકાશ પોતાનાં માતા-પિતાની ચાની લારી સામે ફૂટપાથ પર સૂતો હતો. બપોરે અચાનક આકાશમાંથી તૂટી પડેલા એર ઇન્ડિયાનાં વિમાને નજીકની બી. જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર અથડાઈને વિનાશ સર્જ્યો હતો. વિમાનનું ઇંધણ અને કાટમાળ આસપાસ ફેલાતાં ભીષણ આગ લાગી હતી. 700 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનની જ્વાળાઓમાં આકાશ પણ ઝપટમાં આવી ગયો હતો.
ADVERTISEMENT
આંખ સામે જ આકાશે અંતિમ શ્વાસ લીધા
માતા સીતા પટણી અને દાદી બાબી પટણીએ તેને બચાવવા માટે તનતોડ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમની આંખ સામે જ આકાશે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્રને બચાવવાના પ્રયાસ દરમિયાન સીતા પટણી પણ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. એક વર્ષ પછી પણ તેમની સારવાર ચાલુ છે. પિતા સુરેશ પટણી કહે છે કે હજુ પણ સીતાનાં શરીરના લગભગ 30 ટકા દાઝેલા ભાગની સારવાર બાકી છે.
ADVERTISEMENT
દુર્ઘટનાથી માત્ર પંદર દિવસ પહેલાં જ પટણી પરિવારને ભાડાના મકાનમાંથી બહાર નીકળવું પડ્યું હતું. તેથી તેઓ પોતાની ચાની લારી સામેના ફૂટપાથ પર રહેતા હતા. આ જ સંજોગોમાં આકાશ દુર્ઘટનાનો ભોગ બન્યો.
ADVERTISEMENT
અસ્થિને દરવાજાની બારી પાસે ટાંગવામાં આવ્યા
આજે પરિવાર મેઘાણીનગરની ન્યૂ લક્ષ્મીનગર સોસાયટીમાં એક રૂમના મકાનમાં રહે છે. ઘરના દરવાજાની બારી પાસે આકાશનાં અસ્થિઓ ધરાવતો કળશ સફેદ કપડામાં સાચવીને બારી પાસે ટાંગવામાં આવ્યો છે. તેની બાજુમાં વાદળી સૂટ પહેરેલા આકાશનું આદમકદનું કટઆઉટ મૂકવામાં આવ્યું છે, તેના ગળામાં ચાંદીની ચેઇન પહેરાવવામાં આવી છે.
ADVERTISEMENT
દુર્ઘટના બાદ ચાર દિવસ પછી પુત્રની ઓળખ થઈ
ઓટોરિક્ષા ચલાવતા સુરેશ પટણી જણાવે છે કે દુર્ઘટના બાદ ચાર દિવસ પછી પુત્રની ઓળખ થઈ હતી અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ધાર્મિક વિધિ અને ભજન-કીર્તન બાદ પરિવાર વારાણસી જઈ અસ્થિ વિસર્જન કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસીએ જ રહસ્યો પરથી પડદો ઊંચકાશે?
... અને પરિવારની રોજીરોટી પણ છીનવાઈ ગઈ
આ દુર્ઘટનાએ માત્ર આકાશને જ નહીં, પરિવારની રોજીરોટી પણ છીનવી લીધી હતી. હોસ્ટેલના મુખ્ય દરવાજા પાસે આવેલી તેમની ચાની લારી અકસ્માત અને ત્યાર બાદની તપાસ દરમિયાન સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ. તપાસ માટે ઊભી કરાયેલી પોલીસ ચોકી અને સુરક્ષા વ્યવસ્થામાં જે બચ્યું હતું તે પણ હટી ગયું. તાજેતરમાં સ્થળની મુલાકાત દરમિયાન એક કરુણ દૃશ્ય જોવા મળ્યું હતું. પરિવારની ચાની લારીમાં રહેલું નાનું લાકડાનું મંદિર હોસ્ટેલની દીવાલ પર લગાવેલી તારની વાડમાં ફસાઈ ગયું છે, પરંતુ તેમાં કોઈ દેવી-દેવતાની મૂર્તિ નથી. જાણે દુર્ઘટનાએ માત્ર એક બાળક નહીં, પરંતુ એક આખા પરિવારની આસ્થા અને ખુશીઓ પણ ભસ્મ કરી નાખી હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / વિમાન દુર્ઘટનાએ પુત્ર તો છીનવ્યો, પરંતુ બાદમાં આવ્યું જીવનનું અજાણ્યું સત્ય
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ક્રેશ દુર્ઘટનાના એવાં 15 પરિવાર, જેઓ સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન સ્વીકારી શક્યાં
Ahmedabad Plane Crash / સાથે રહેતા-સાથે જમતા બે મિત્રો ગુમાવવાનો આઘાત ક્યારેય...! સુરતના MBBS વિદ્યાર્થીની આપવીતિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.