બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અ'વાદ પ્લેન ક્રેશમાં ભોગ બનનાર આકાશની નિશાની હજી ત્યાંની ત્યાં, આંસુ ભરી આંખે પરિવાર જોઈ રહ્યો છે રાહ!

અમદાવાદ પ્લેન ક્રેશ / અ'વાદ પ્લેન ક્રેશમાં ભોગ બનનાર આકાશની નિશાની હજી ત્યાંની ત્યાં, આંસુ ભરી આંખે પરિવાર જોઈ રહ્યો છે રાહ!

Vishal Khamar

Last Updated: 12:04 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં ચા ની લારી ચલાવતા પટણી પરિવારના એક સ્વજનનું મોત નિપજ્યું હતું. આજે પણ પરિવાર યુવકે યાદ કરીને દુઃખ અનુભવી રહ્યા છે.

૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની એઆઈ-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ મેઘાણીનગરના પટણી પરિવાર માટે સમય જાણે ત્યાં જ થંભી ગયો છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર 13 વર્ષીય આકાશ પટણીનાં અસ્થિ આજે પણ ઘરના દરવાજાની બારી પાસે ટાંગેલાં છે અને પરિવાર હવે તેને વારાણસી લઈ જઈ ગંગામાં વિસર્જિત કરવાની તૈયારી કરી રહ્યો છે.

દુર્ઘટનાના દિવસે આકાશ પોતાનાં માતા-પિતાની ચાની લારી સામે ફૂટપાથ પર સૂતો હતો. બપોરે અચાનક આકાશમાંથી તૂટી પડેલા એર ઇન્ડિયાનાં વિમાને નજીકની બી. જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર અથડાઈને વિનાશ સર્જ્યો હતો. વિમાનનું ઇંધણ અને કાટમાળ આસપાસ ફેલાતાં ભીષણ આગ લાગી હતી. 700 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનની જ્વાળાઓમાં આકાશ પણ ઝપટમાં આવી ગયો હતો.

આંખ સામે જ આકાશે અંતિમ શ્વાસ લીધા

માતા સીતા પટણી અને દાદી બાબી પટણીએ તેને બચાવવા માટે તનતોડ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમની આંખ સામે જ આકાશે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્રને બચાવવાના પ્રયાસ દરમિયાન સીતા પટણી પણ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. એક વર્ષ પછી પણ તેમની સારવાર ચાલુ છે. પિતા સુરેશ પટણી કહે છે કે હજુ પણ સીતાનાં શરીરના લગભગ 30 ટકા દાઝેલા ભાગની સારવાર બાકી છે.

દુર્ઘટનાથી માત્ર પંદર દિવસ પહેલાં જ પટણી પરિવારને ભાડાના મકાનમાંથી બહાર નીકળવું પડ્યું હતું. તેથી તેઓ પોતાની ચાની લારી સામેના ફૂટપાથ પર રહેતા હતા. આ જ સંજોગોમાં આકાશ દુર્ઘટનાનો ભોગ બન્યો.

અસ્થિને દરવાજાની બારી પાસે ટાંગવામાં આવ્યા

આજે પરિવાર મેઘાણીનગરની ન્યૂ લક્ષ્મીનગર સોસાયટીમાં એક રૂમના મકાનમાં રહે છે. ઘરના દરવાજાની બારી પાસે આકાશનાં અસ્થિઓ ધરાવતો કળશ સફેદ કપડામાં સાચવીને બારી પાસે ટાંગવામાં આવ્યો છે. તેની બાજુમાં વાદળી સૂટ પહેરેલા આકાશનું આદમકદનું કટઆઉટ મૂકવામાં આવ્યું છે, તેના ગળામાં ચાંદીની ચેઇન પહેરાવવામાં આવી છે.

દુર્ઘટના બાદ ચાર દિવસ પછી પુત્રની ઓળખ થઈ

ઓટોરિક્ષા ચલાવતા સુરેશ પટણી જણાવે છે કે દુર્ઘટના બાદ ચાર દિવસ પછી પુત્રની ઓળખ થઈ હતી અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ધાર્મિક વિધિ અને ભજન-કીર્તન બાદ પરિવાર વારાણસી જઈ અસ્થિ વિસર્જન કરશે.

આ પણ વાંચોઃ શું પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસીએ જ રહસ્યો પરથી પડદો ઊંચકાશે?

... અને પરિવારની રોજીરોટી પણ છીનવાઈ ગઈ

આ દુર્ઘટનાએ માત્ર આકાશને જ નહીં, પરિવારની રોજીરોટી પણ છીનવી લીધી હતી. હોસ્ટેલના મુખ્ય દરવાજા પાસે આવેલી તેમની ચાની લારી અકસ્માત અને ત્યાર બાદની તપાસ દરમિયાન સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ. તપાસ માટે ઊભી કરાયેલી પોલીસ ચોકી અને સુરક્ષા વ્યવસ્થામાં જે બચ્યું હતું તે પણ હટી ગયું. તાજેતરમાં સ્થળની મુલાકાત દરમિયાન એક કરુણ દૃશ્ય જોવા મળ્યું હતું. પરિવારની ચાની લારીમાં રહેલું નાનું લાકડાનું મંદિર હોસ્ટેલની દીવાલ પર લગાવેલી તારની વાડમાં ફસાઈ ગયું છે, પરંતુ તેમાં કોઈ દેવી-દેવતાની મૂર્તિ નથી. જાણે દુર્ઘટનાએ માત્ર એક બાળક નહીં, પરંતુ એક આખા પરિવારની આસ્થા અને ખુશીઓ પણ ભસ્મ કરી નાખી હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

aviation accident Air India crash Ahmedabad crash
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ