બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત સરકારના કર્મીઓ માટે નાણા વિભાગનો નવો પરિપત્ર જાહેર, લેવાયો મોટો નિર્ણય
Last Updated: 12:14 PM, 10 June 2026
Government Employees : ગુજરાત સરકારના કર્મચારીઓ માટે રાહત અને લાભદાયી સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં નાણા વિભાગ દ્વારા જૂથ વીમા યોજના-1981 હેઠળ બચત ફંડ અને વીમા રકમની ચુકવણી અંગે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી નિવૃત્ત થતા તેમજ સેવા દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનોને આર્થિક રીતે વધુ લાભ મળશે.
ADVERTISEMENT
આવો જાણીએ એવું તે શું છે પરિપત્રમાં ?
આ નવા પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2026થી 30 જૂન, 2026 દરમિયાન નિવૃત્ત થયેલા અથવા અવસાન પામેલા રાજ્ય સરકારના કર્મચારીઓને તેમની બચત ફંડની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવશે. સરકાર દ્વારા બચત ફંડ પર 7.1 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે, જેના આધારે ચુકવણી કરવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2026
જૂથ વીમા યોજના-1981 અંગે મહત્વનો નિર્ણય
કર્મચારી જૂથ મુજબ અલગ-અલગ ચુકવણી દર જાહેર
નિવૃત્ત થતા કર્મચારીઓને મળશે વધારાનો નાણાકીય લાભ
1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 દરમિયાન નિવૃત્ત-અવસાન પામેલા કર્મચારીઓને લાભ
બચત ફંડ અને વીમા રકમની વ્યાજ સહિત ચુકવણી,… pic.twitter.com/qtlIH6u0yr
બચત ફંડની ચુકવણી માટે અલગ-અલગ દરો જાહેર
ADVERTISEMENT
નાણા વિભાગે કર્મચારીઓના વિવિધ જૂથોને ધ્યાનમાં રાખીને બચત ફંડની ચુકવણી માટે અલગ-અલગ દરો પણ જાહેર કર્યા છે. જેના કારણે કર્મચારીઓને તેમના વર્ગ અનુસાર યોગ્ય લાભ મળી શકશે. ખાસ કરીને નિવૃત્તિ સમયે મળનારી રકમમાં વ્યાજનો સમાવેશ થતાં કર્મચારીઓને વધારાનો નાણાકીય લાભ પ્રાપ્ત થશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : આજવા સરોવર તળિયાઝાટક થતાં તંત્ર પહોંચ્યું નર્મદા નિગમના શરણે, લીધો મોટો નિર્ણય
આ નિર્ણયનો મુખ્ય હેતુ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વધુ આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સંસ્થાઓને પરિપત્રના અમલીકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.