બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 4399 દિવસ, અને PM મોદીએ તોડ્યો નેહરુનો રેકોર્ડ, જુઓ તનતોડ મહેનતથી લઇને સફળ કાર્યકાળ વિશે
Last Updated: 08:36 AM, 10 June 2026
PM Modi 12 Years Tenure : ભારતના રાજકીય ઇતિહાસમાં આજનો એટલે કે, 10 જૂન, 2026નો દિવસ એક નવા રેકોર્ડ માટે યાદ રાખવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સેવા આપવાના મામલે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનો 4,398 દિવસનો રેકોર્ડ પાછળ છોડી 4,399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. વર્ષ 2014માં પ્રથમ વખત વડા પ્રધાન પદની શપથ લીધા બાદ મોદી આજે સતત ત્રીજા કાર્યકાળમાં દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મોદીના આ રાજકીય માઇલસ્ટોન સાથે દિલ્હીના ભારત મંડપમમાં NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ રહી છે. બેઠકમાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને સહયોગી પક્ષોના નેતાઓ હાજરી આપશે. "વિકસિત ભારત-2047"ના લક્ષ્ય, કેન્દ્ર-રાજ્ય સંકલન, વિકાસલક્ષી યોજનાઓ અને નાગરિકોની જીવનશૈલીને વધુ સરળ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. મોદીના રેકોર્ડ બદલ અભિનંદનનો ઠરાવ પણ પસાર કરવામાં આવશે.

ADVERTISEMENT
ભારતીય રાજકારણમાં ‘સતત કાર્યકાળ’ અને ‘કુલ કાર્યકાળ’ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. સતત કાર્યકાળ એટલે કોઈપણ વિક્ષેપ વિના એક જ પદ પર રહેલો સમયગાળો, જ્યારે કુલ કાર્યકાળમાં અલગ-અલગ સમયગાળાઓને જોડીને ગણતરી કરવામાં આવે છે. આ દૃષ્ટિએ મોદીનો કાર્યકાળ સતત કાર્યકાળ તરીકે નોંધાયો છે, જ્યારે અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓના કુલ કાર્યકાળમાં અનેક અવધિઓનો સમાવેશ થાય છે.
વર્ષ 2014થી અત્યાર સુધી મોદી સરકારે અનેક એવા નિર્ણયો લીધા છે જેણે દેશની રાજકીય, આર્થિક અને સામાજિક દિશાને અસર કરી છે. ડિજિટલ ઈન્ડિયા અભિયાનથી લઈને GST અમલીકરણ, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ એર સ્ટ્રાઈક, કલમ 370ની નાબૂદી, ટ્રિપલ તલાક કાયદો, CAA, કોરોના મહામારી દરમિયાનનું રસીકરણ અભિયાન, નવા સંસદ ભવનનું નિર્માણ, G-20 સમિટનું આયોજન અને અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જેવા નિર્ણયો દેશવ્યાપી ચર્ચાના કેન્દ્ર રહ્યા છે.
ADVERTISEMENT
મોદી સરકારના 13મોટા નિર્ણયો
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર
સુરક્ષા અને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પણ મોદી સરકારનું નામ નોંધાયું છે. ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા હુમલા બાદ બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ વર્ષ 2025માં પહેલગામ આતંકી હુમલા પછી ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર કરાયેલા હુમલાઓએ ભારતની સુરક્ષા નીતિમાં વધુ આક્રમક અભિગમને દર્શાવ્યો હતો.
ADVERTISEMENT

2025: ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે
ADVERTISEMENT
આર્થિક મોરચે પણ ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે. વર્ષ 2025 દરમિયાન ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હોવાનું નોંધાયું. વધતી જીડીપી વૃદ્ધિ, ઘટતો ફુગાવો અને બેરોજગારીમાં ઘટાડો દેશની આર્થિક સ્થિતિ માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે. આગામી વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મન કી બાત (3 ઓક્ટોબર, 2014)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ, જેમાં તેઓ રાષ્ટ્ર સાથે વાર્તાલાપ કરે છે, પ્રેરણાદાયી વ્યક્તિત્વો, જન આંદોલનો, સામાજિક ઝુંબેશ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તેનો ઉદ્દેશ્ય સીધા જાહેર સંવાદ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. જૂન 2026 સુધીમાં, 135 એપિસોડ પ્રસારિત થયા છે.

પરીક્ષા પે ચર્ચા (16 ફેબ્રુઆરી, 2018)
આ પ્રધાનમંત્રીનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેનો વાર્ષિક સંવાદ છે, જેમાં તેઓ પરીક્ષાના તણાવ, સમય વ્યવસ્થાપન, કારકિર્દી અને આત્મવિશ્વાસ સંબંધિત પ્રશ્નોના જવાબ આપે છે. તેનો ધ્યેય વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને દૂર કરવા અને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપવાનો છે. ૨૦૨૬ સુધીમાં નવ એપિસોડ પ્રકાશિત થયા છે.

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાં મોદી
પીએમ મોદીના X પર 106.9 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ પછી વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંના એક છે.
આ પણ વાંચો : PM મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ, જુઓ 12 વર્ષમાં કઇ-કઇ ઉપલબ્ધિઓ હાંસલ કરી
મોદી સત્તામાં આવ્યા બાદ 22 રાજ્યોમાં NDAનું રાજ
2014 માં જ્યારે મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ભાજપ અને એનડીએ પાસે ફક્ત 8 રાજ્યોમાં સરકાર હતી. 2026 સુધીમાં ભાજપ અથવા NDA પાસે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકાર હશે. એક આંકડા મુજબ, ભાજપ પાસે હાલમાં 14 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.