બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ''દેશની જનતાએ પેટ્રોલ પર...'', ઈંધણને લઇ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન
Last Updated: 08:05 AM, 9 June 2026
કેન્દ્ર સરકાર ભારતમાં બીજા ફ્યૂલને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહી છે. આ વચ્ચે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલના લોન્ચિંગ કાર્યક્રમમાં કહ્યું, કે તેઓ પેટ્રોલ પણ જોવા માંગતા નથી, તેમણે ઉમેર્યું હતું કે દેશે ધીમે ધીમે પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને ઇથેનોલ ઇંધણ તરફ વળવું જોઈએ.
ADVERTISEMENT
ગડકરી માને છે કે પેટ્રોલ ભારતના અર્થતંત્ર અને પર્યાવરણ બંને પર દબાણ નાખે છે. ભારત તેની મોટાભાગની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો વિદેશથી આયાત કરે છે, જેના કારણે વાર્ષિક લાખો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. લાંબા સમયથી, સરકાર આયાત પરની આ નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો, સીએનજી, ગ્રીન હાઇડ્રોજન અને ઇથેનોલ જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપી રહી છે. ગડકરી જણાવે છે કે જો દેશભરમાં મોટા પાયે ઇથેનોલનો ઉપયોગ અપનાવવામાં આવે, તો વિદેશી તેલ પર ખર્ચવામાં આવતા નાણાંની નોંધપાત્ર રકમ બચાવી શકાય છે.
કેવી રીતે બને છે ઇથેનોલ?
ADVERTISEMENT
ઇથેનોલ એ શેરડી, મકાઈ, કૃષિ અવશેષો અને અન્ય કાર્બનિક સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતું જૈવ બળતણ છે. સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં E20 પેટ્રોલ રજૂ કરી દીધું છે, જેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનો સમાવેશ થાય છે . આ પહેલ સમયપત્રક પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી. હવે, સરકાર E85 અને E100 જેવા ઉચ્ચ ઇથેનોલ મિશ્રણોવાળા ઇંધણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. E85 માં 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ હોય છે, જ્યારે E100 લગભગ સંપૂર્ણપણે ઇથેનોલ પર આધારિત ઇંધણ છે.

ADVERTISEMENT
તાજેતરમાં ભારતમાં E85 ઇંધણ લોન્ચ કરવામાં આવ્યું છે અને તે નિયમિત પેટ્રોલ કરતા સસ્તું હોવાનું જાણવા મળ્યું છે. સરકાર માને છે કે આનાથી ઇંધણનો ખર્ચ ઘટશે અને પ્રદૂષણમાં ઘટાડો થશે. આ સાથે જ, દેશભરમાં ઇથેનોલ ઇંધણ સ્ટેશનોના નેટવર્કને વિસ્તૃત કરવા માટે કામ ચાલી રહ્યું છે. સરકાર 2026 ના અંત સુધીમાં સેંકડો અને 2027 સુધીમાં હજારો ઇથેનોલ ડિસ્પેંસિગ સ્ટેશનો સ્થાપવાનું ટારગેટ રાખે છે.
આ પણ વાંચોઃ પહેલા 6 મહિનામાં પૈસા ડબલ, હવે આ શેરમાં ધડાધડ લાગી લોઅર સર્કિટ
ADVERTISEMENT
જોકે, ઇથેનોલ અંગે કેટલીક ચિંતાઓ પણ ઉભી થઈ છે. એક્સપર્ટનું કહેવુ છે કે, E85 અથવા E100 જેવા ઇંધણનો ઉપયોગ પેટ્રોલ વાહનોમાં થઈ શકતો નથી; તેમને ખાસ ડિઝાઇન કરેલા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોની જરૂર પડે છે. જો ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણનો ઉપયોગ એવા વાહનોમાં કરવામાં આવે છે જે તેના માટે ડિઝાઇન ન હોય, તો એન્જિન અને ઇંધણ પ્રણાલીને નુકસાન થઈ શકે છે. આ જ કારણ છે કે ઓટોમોબાઈલ કંપનીઓ હવે ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજીથી સજ્જ નવા વાહનો વિકસાવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.