બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એવું શું થયું કે બનાસકાંઠાના DPEOના પરિપત્રથી ભડક્યાં પ્રાથમિક શાળાના શિક્ષકો?
Last Updated: 08:07 PM, 12 June 2026
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) દ્વારા વસ્તી ગણતરી સંબંધિત કામગીરી અંગે જાહેર કરાયેલા પરિપત્રને લઈને શિક્ષક વર્ગમાં વિવાદ સર્જાયો છે. પરિપત્રમાં શિક્ષકોને શાળા સમય દરમિયાન વસ્તી ગણતરી સહિતની અન્ય સરકારી કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ શાળા સમય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને મોબાઈલ આચાર્યને જમા કરાવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ નિર્ણય સામે વિવિધ શિક્ષક સંગઠનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પરિપત્રને અયોગ્ય અને વ્યવહારુ પરિસ્થિતિઓને અવગણનાર ગણાવ્યો છે.

ADVERTISEMENT
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મિતેષ ભટ્ટે જણાવ્યું કે, શિક્ષકોને શાળા સમય પહેલાં અથવા પછી વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ વ્યવહારિક રીતે શક્ય નથી. તેમણે કહ્યું કે હાલમાં વસ્તી ગણતરીની કામગીરીમાં મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજે 50થી 55 ટકા મહિલા શિક્ષકો આ કામગીરી સાથે જોડાયેલા છે, જેથી રાત્રિના સમયે ઘર-ઘર જઈને માહિતી એકત્રિત કરવી તેમના માટે સુરક્ષા અને સુવિધાના દૃષ્ટિકોણથી મુશ્કેલ બની શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વસ્તી ગણતરી એક રાષ્ટ્રીય મહત્વની કામગીરી છે, પરંતુ તેની જવાબદારી માત્ર શિક્ષકો પર જ ન હોવી જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક વિભાગોમાં કાર્યરત કર્મચારીઓની સેવાઓ પણ આ કામગીરી માટે લેવામાં આવી શકે છે. શિક્ષકો પર વધારાનો બોજ નાખવાને બદલે અન્ય વિભાગોના કર્મચારીઓને પણ તેમાં સામેલ કરવા જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
પરિપત્ર જાહેર થયા બાદ શિક્ષકોમાં ચર્ચા અને અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દે શિક્ષક સંગઠનો અને શિક્ષણ વિભાગ વચ્ચે ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.