બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / junagadh farmer big issue

ખેડૂતો વિફર્યા / બહેરા તંત્રના કાને વાત પહોંચાડવા જૂનાગઢના ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન, ભાદર ડેમનો કાંઠો બાંધી આપવા રજૂઆત

Published By: Pravin

Last Updated: 08:28 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાદર ડેમનો પાળો છેલ્લા 3 વર્ષથી તૂટી ગયો છે, જેનાથી કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય છે. ખેડૂતોના મોટા ભાગના પાક નિષ્ફળ જાય છે.

જૂનાગઢમાં સિંચાઈ ખાતાની અણઆવડતનો વધું એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી ભાદર ડેમનો પાળો તૂટી ગયો છે, છતાં પણ તંત્રને પાળો બાંધવાનો સમય નથી મળતો, પરિણામે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ભાદર ડેમનો પાળો તૂટી જવાથી આજૂબાજૂના વિસ્તારમાં રહેલા ખેડૂતોના ખેતરમાં મોટા પાયે ધોવાણ થતું હોવાની ફરિયાદો ખેડૂતો અવારનવાર કરતા આવ્યા છે. છતાં પણ બહેરા તંત્રના કાને આ વાત પહોંચતી નથી.

મુખ્યમંત્રીને પણ લખ્યો છે પત્ર

આટલું આટલું થવા છતાં પણ ખેડૂતોના ખેતરો સામે જોવાની કોઈ જરાં પણ તસ્દી લેતા નથી. ખેડૂતોએ આ અંગે અનેક વખત રજૂઆત પણ કરી છે, તેમ છતાં પણ તેમની ફરિયાદને ધ્યાને લેવામાં આવતી નથી. છેલ્લા 3 વર્ષથી ભાદર ડેમનો પાળો તૂટી ગયો છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય જવાથી પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ બાબતને લઈને માણાવદર તાલુકાના ખેડૂતો અને કોંગ્રેસ પ્રમુખે પણ મુખ્યમંત્રીનો પત્ર લખ્યો હતો. 

આપને જણાવી દઈએ કે, ભાદર ડેમના તૂટેલા પાળાથી પાણી વહીં જવાના કારણે આજૂબાજૂના ચિખલોદ્રા, દેશીંગા, સરાળિયા સહિતના ગામો બેટમાં ફેરવાય છે,  જ્યારે વાળા, લીંબૂળા, વેકરી ગામમાં પણ ચોમાસામાં પાણી ભરાય છે.

ઉગ્ર આંદોલનની ચિમકી, પાળો બાંધી આપવા કરી રજૂઆત

ખેડૂતો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાળો તૂટી જવાથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ માટે ત્રણ ત્રણ વર્ષથી રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કંઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારા ચણા, જીરૂ જેવા પાક પણ નિષ્ફળ ગયાં છે. રજૂઆત કરવા જઈએ તો, કોઈ અમારુ સાંભળતુ જ નથી. અમારી પાસે ખેતી કરવાના હવે પૈસા પણ નથી રહ્યા, બિયારણના પૈસા નથી રહ્યા, આ સરકાર કંઈ ધ્યાન આપતી જ નથી. તેથી હવે અમે નદીંકાઠાના ખેડૂતો એકઠાં થઈને ઉગ્ર આંદોલન કરવાના છીએ. રસ્તાઓ બંધ કરવાના છીએ. અમારી આ સમસ્યા માટે થઈને અમે તમામ ખેડૂતોને એકઠા કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું.

મોરબીના ખેડૂતોની પણ આવી જ હાલત

આ બાજૂ મોરબીના ખેડૂતોની પણ કંઈક આવી જ હાલત થઈ રહી છે. મોટા અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બ્રહ્રાણી-2થી ભરતનગર સુધી પાણીની લાઇન નાખવામાં આવી હતી, જો કે તેમાં ભંગાણ થતાં આજૂબાજૂના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે 15થી વધારે ખેતરોમાં મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં રહેલો જીરૂ, ઘઉં, એરંડા સહિતના પાકને મોટું નુકસાન થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

GujaratiNews gujaratnews ખેડૂત જૂનાગઢ ભાદર ડેમ સૌરાષ્ટ્ર હોનારત junagadh farmer big issue

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ