બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Jio IUC Calling Charges Only These Customer Have To Recharge Details Here

સુવિધા / Reliance Jio ના આ ગ્રાહકોને નહી કરાવવુ પડે IUC રિચાર્જ, બીજા નેટવર્ક પર ફ્રીમાં કરી શકાશે વાત

Juhi

Last Updated: 06:17 PM, 10 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reliance Jio એ 9 ઓક્ટોબરે જાહેરાત કરી કે તેઓ પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરકનેક્ટ યૂઝેસ ચાર્જ (IUC)  લેશે. એવામાં Reliance Jio ના ગ્રાહકોને જો કોઇ બીજી કંપનીના નેટવર્ક પર ફોન કરે છે તો પ્રતિ મિનિટ 6 પૈસા આપવાના રહેશે અને તેના માટે અલગથી 10,20, 50  અથવા તો 100 રૂપિયાનું રિચાર્જ કરાવવું રહેશે.

તો Reliance Jio તરફથી કહેવામાં આવ્યુ કે, Jio થી Jio ના નેટવર્ક પર હંમેશા કૉલિંગ ફ્રી રહેશે. જોકે તમને જણાવી દઇએ કે જે લોકોએ પહેલાથી રિચાર્જ કરાવ્યુ છે  અને વેલિડિટી બાકી છે તેવા લોકોને બીજા નેટવર્ક પર કૉલિંગ કરવા માટે પૈસા આપવા પડશે નહી. જાણીએ વિસ્તારથી.. 

દાખલા તરીકે આ ફોટોમાં જે પ્લાન છે તેની વેલિડિટી 26 ડિસેમ્બર સુધી છે એટલે કે 26 ડિસેમ્બર સુધી તમારે IUC ચાર્જ નહી આપવો પડે. એવામાં જો તમે બીજી કંપનીના નેટવર્ક પર 26 ડિસેમ્બર 2019 સુધી ફ્રીમાં વાત કરી શકશો. બીજા શબ્દોમાં કહીએ જે લોકો 10 ઓક્ટોબર અથવા તેના પછી રિચાર્જ કરાવશો તો તેમણે IUC ચાર્જ આપવો પડશે. 

જે યૂઝર્સને હાલના પ્લાનમાં વેલિડિટી બાકી છે, તો તેમની પાસે IUC ચાર્જ નહી લાગે એટલે કે તેઓ હજુ પણ બીજી કંપની નેટવર્ક પર ફ્રીમાં વાત કરી શકાશે. હાલમાં IUC ટૉપ-અપ માત્ર ગ્રાહકોને કરાવવું જરૂરી છે જેમના પ્લાનની વેલિડિટી ખત્મ થઇ ગઇ હોય.

જો તમે Reliance Jio ગ્રાહક છે અને IUC ટૉપ-અપ કરાવવું વિચારી રહ્યા છો તો તમે My Jio App પર જઇને પ્લાનની વેલિડિટી ચેક કરો. જો તમારા પ્લાનની વેલિડિટી હજુ બાકી છે તો તમારે IUC ચાર્જ કરાવવું નહી પડે. તમે ફ્રીમાં વાત કરી શકશો. તો બીજી તરફ જે લોકોની વેલિડિટી આજે ખત્મ થઇ જશે તેમણે IUC ટૉપ અપ કરાવવુ પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

IUC Reliance Jio Technology recharge કૉલિંગ સુવિધા Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ