યૂઝર દીઢ કમાણીનો આંકડો વધારવા માટે Jio એ મહત્વનો નિર્ણય લીધો છે. કંપની દ્વારા નાની રકમની રિચાર્જની સ્કીમ બંધ કરી દેવામા આવી છે.
મળતી વિગતો અનસુાર, Jio એ 19 અને 52 રૂપિયાના રિચાર્જની સ્કીમ બંધ કરી દીધી ચે. આ નિર્ણયની સાથે જ Jio એ 350 મિલિયનથી પણ વધારે કસ્ટમર્સને હવે રિચાર્જ કરાવવા માટે ઓછામાં ઓછા 98 રૂપિયા ખર્ચવા પડશે.
Jio એ 19 રૂપિયાના રિચાર્જ પર 1 દિવસ અને 52 રૂપિયાવાળા રિચાર્જ પર 7 દિવસ સુધી વેલિડિટી આપવામાં આવતી હતી. Jio એ પ્રતિ મિનિટ 6 પૈસાનો IUC ચાર્જ વસૂલવાની શરૂ નહતો કર્યુ ત્યાં સુધી આ બંને રિચાર્જ માટે ઉપલબ્ધ હતા.
હાલ 98 રુપિયાનું રિચાર્જ અને તેની સાથે IUC ચાર્જનું ટોપ-અપ રિચાર્જના Jio ના બેઝિક પ્રિપેઈડ પ્લાન છે. 98ના રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી મળે છે, તેની સાથે 2 જીબી ડેટા અને 100 એસએમએસ પ્રતિ દિન તેમજ અનલિમિટેડ વોઇલ કોલ્સ મળે છે. જોકે જેઓ Jio ફોન વાપરે છે. તેમના માટે રિચાર્જની પ્રારંભિક કિંમત 49 રૂપિયા જ રહેશે.
શું છે IUC ચાર્જ:
TRAI તરફથી બીજા નેટવર્ક પર કરવામાં આવતા કોલ માટે કંપનીઓને 6 પૈસા પ્રતિ મિનિટ IUC ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ચાર્જ આઉટગોઇંગ કરતા ઓપરેટરે કોલ રિસિવ કરતા ઓપરેટરને આપવો પડે છે. ઉદાહરણ તરીકે જો કોઈ Jio યુઝર વોડાફોન પર કોલ કરે છે તો Jio એ 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વોડાફોનને આપવો પડે છે.