બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamsahebs conciliatory stance appeals in Rupala dispute
Priyakant
Last Updated: 02:19 PM, 10 April 2024
Parshottam Rupala News : પરષોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જામનગરના રાજવી જામસાહેબે રૂપાલા વિવાદમાં સમાધાનની નવી ફોર્મ્યુલા અપનાવી છે. જામસાહેબે આ વિવાદમાં સમાધાનકારી વલણ અપનાવવા ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. જામસાહેબે કહ્યું કે, રૂપાલા ક્ષત્રિય આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માગે તો માફી આપવી જોઈએ.
જામનગરના રાજવી જામસાહેબે કહ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ક્ષત્રિયોનો ધર્મ છે અને એ ધર્મે રૂપાલાને માફી આપવી જોઈએ. જામસાહેબે એમ પણ ઉમેર્યું કે, રૂપાલા બે વાર માફી માગી એ પૂરતી નથી. તેમણે સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓની માફી માગવી જોઈએ.
અહીં નોંધનિય છે કે, ગઈકાલે જામસાહેબે એક પત્ર લખ્યો હતો જેમાં લોકશાહીમાં મત આપીને બદલે લેવાની વાત કરી હતી. જ્યારે આજે તેમણે નવો પત્ર લખી સમાજને અપીલ કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આગળ વધાર્યો છે, એ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ.
રાજકોટનાં માંધાતાસિંહે શું કહ્યું હતું ?
મહત્વનું છે કે, ગઇકાલે રાજકોટનાં માંધાતાસિંહે આ બાબતે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, રૂપાલાએ સેમડા ગામમાં ફરી માફી માંગી લીધી છે. સી.આર.પાટીલે પણ માફી માટે અપીલ કરી છે. સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માપી આપી દેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, લોકશાહીનાં શાસકોમાં સંવેદનશીલતા નથી. રાજા ફક્ત યોદ્ધા ન હતો. પ્રજાનું દુઃખ નીહાળે તેવા હતા. શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. કોઈ પણ સમાજ માટે ટિપ્પણી કરવી યોગ્ય નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime