બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:06 PM, 23 September 2025
Paracetamol aur Autism connection: દુનિયાાં સૌથી પોપ્યૂલર દવાઓમાં એક પેરાસિટામોલને લઈને અત્યારે એક મોટો વિવાદ ઉભો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો દાવો છે કે ટાઈલેનોલ જે પેરાસિટામોલની બ્રાંડ છે, અમેરિકામાં આ નામથી જ પેરાસિટામોલને લોકો જાણે છે. આ દવા લેવાથી ઓટીઝમનું જોખમ વધી શકે છે, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓમાં. ટ્રમ્પના મતે, ગર્ભાવસ્થા દરમિયાન આ દવા લેવાથી બાળકમાં ઓટીઝમ થઈ શકે છે. પરંતુ શું ટ્રમ્પનો દાવો સાચો છે?
ADVERTISEMENT
ટાઈલેનોલ, પેરાસિટામોલનું બ્રાંડ નામ છે, જે એખ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ દવા તાવ, અને શરદી મટાડવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. પેરાસિટામોલનો ઉપયોગ સામાન્ય રીતે માથાનો દુખાવો, કમરનો દુખાવો, માસિક ધર્મમાં થતા દુખાવાને મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે.
WHOના પૂર્વ ચીફ સાઈન્ટિસ્ટ અને પ્રખ્યાત બાળરોગ ચિકિત્સક ડૉ. સૌમ્યા સ્વામિનાથને સ્પષ્ટપણે કહ્યું છે કે પેરાસીટામોલ એક સલામત અને અસરકારક દવા છે. તેઓ જણાવે છે કે, "હાલમાં પેરાસીટામોલ અને ઓટીઝમ વચ્ચેના કોઈપણ જોડાણને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી." પેરાસીટામોલ ઉત્પાદકો અને આંતરરાષ્ટ્રીય તબીબી સંસ્થાઓ માને છે કે પેરાસીટામોલ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે સલામત છે, પરંતુ તે ફક્ત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ.
ADVERTISEMENT
બાળરોગ નિષ્ણાત ડૉ. અરુણ શાહે જણાવ્યું હતું કે પેરાસીટામોલ સૌથી સલામત દવાઓમાંની એક છે. ફેડરેશન ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ (FIGO) તેના ઉપયોગની ભલામણ કરે છે. ડૉક્ટરની સલાહ પર આ દવા લેવામાં કોઈ સમસ્યા નથી. JAMA જર્નલમાં પ્રકાશિત સંશોધન પણ તેની સલામતીની પુષ્ટિ કરે છે.
પેરાસીટામોલ શા માટે વિશ્વસનીય દવા છે?
ADVERTISEMENT
ડૉ. સ્વામીનાથને સમજાવ્યું કે પેરાસિટામોલનો ઉપયોગ વર્ષોથી તાવ અને દુખાવો ઘટાડવા માટે કરવામાં આવે છે અને તે વિશ્વભરમાં સૌથી સામાન્ય રીતે સૂચવવામાં આવતી દવાઓમાંની એક છે. તે માથાનો દુખાવો, દાંતનો દુખાવો, પીઠનો દુખાવો, સ્નાયુઓમાં ખેંચાણ અને માસિક સ્રાવના દુખાવા સહિત તમામ પ્રકારના નાના દુખાવા માટે અસરકારક છે. ડૉક્ટર દ્વારા નિર્દેશિત ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે સલામત છે.
તેમણે ચેતવણી પણ આપી હતી કે, કોઈપણ દવાની જેમ, પેરાસીટામોલનો લાંબા ગાળાનો અને વધુ પડતો ઉપયોગ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, સામાન્ય અને આવશ્યક ઉપયોગ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO : બાપ રે ! બાર ગર્લ્સ આવી સરકારી સ્કૂલમાં, આખી રાત કર્યું આ શરમજનક કામ, વીડિયો વાયરલ
ટ્રમ્પનું નિવેદન
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાના નિવેદનમાં સગર્ભા સ્ત્રીઓને ટાયલેનોલ ટાળવાની સલાહ આપી હતી, અને દાવો કર્યો હતો કે તે બાળકોમાં ઓટીઝમનું જોખમ વધારી શકે છે. જોકે, તેમણે કોઈ નક્કર વૈજ્ઞાનિક ડેટા કે તબીબી અભ્યાસનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, "જો સ્ત્રીઓ તે ન લે તો કોઈ નુકસાન નથી, તેમને ફક્ત થોડી પીડા સહન કરવી પડશે."

ADVERTISEMENT
કંપનીએ નકારી કાઢ્યું
ટાયલેનોલ બનાવતી કંપનીએ પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢતા કહ્યું કે, "અત્યાર સુધીના તમામ સંશોધન અને વૈજ્ઞાનિક ડેટા દર્શાવે છે કે પેરાસીટામોલ અને ઓટીઝમ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.